સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પાકવીમાનું વ્યાજ સાથે વળતર આપવા અંગે ગ્રાહક તકરાર નિવારણએ ચુકાદો આપ્યો છે.
સુરેન્દ્રનગરના ખેડૂતોને પાકવીમાનું મળશે વળતર
ગ્રાહક તકરાર નિવારણનો ખેડૂતોના પક્ષે ચુકાદો
વીમા કંપનીની રિવ્યુ અરજીને કરાઈ રદ
સુરેન્દ્રનગર જિલ્લાના 50 હજાર જેટલા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરના ખેડૂતોને પાક વીમાનું વળતર આપવા અંગે ગ્રાહક તકરાર નિવારણે ખેડૂતોના પક્ષે ચુકાદો આપ્યો છે. રીવ્યુ અરજી રદ થતા ખેડૂતોને વળતર મેળવવાનો માર્ગ મોકળો બન્યો છે.
ખેડૂતોએ સુરેન્દ્રનગર ગ્રાહક તકરાર નિવારણના દ્વારા ખટખટાવી ફરિયાદ કરી હતી
ગ્રાહક તકરાર નિવારણે ખેડૂતોના પક્ષે આપ્યો ચુકાદો આપી ગ્રાહક તકરાર નિવારણે વીમા કંપનીની રીવ્યુ અરજીને કરી રદ છે. રીવ્યુ અરજી રદ થતા ખેડૂતોને વળતર મેળવવાનો માર્ગ મોકળો બન્યો છે. પાક વીમા કંપનીએ મનમાની કરીને વીમાનું પ્રીમિયમ લીધા બાદ ખેડુતોને વળતર ચૂકવ્યું ન હતું. આથી પાક વળતરની માંગ સાથે ખેડૂતોએ સુરેન્દ્રનગર ગ્રાહક તકરાર નિવારણના દ્વારા ખટખટાવી ફરિયાદ કરી હતી.
વીમા કંપનીએ કરી હતી રીવ્યુ અરજી
જે ફરિયાદ ચાલી જતા ગ્રાહક તકરાર નિવારણે વિમાં કંપનીઑની મનમાનીને લઈને તેની વિરુદ્ધ ચૂકાદો ફરમાવ્યો છે અને 7 ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. ત્યારબાદ ગ્રાહક તકરાર નિવારણના આદેશ પર વીમા કંપનીએ રીવ્યુ અરજી કરી હતી.