દેશના 8 રાજ્યો મહારાષ્ટ્ર, દિલ્હી, કેરળ, પ.બંગાળ, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા અને તેલંગાણામાં કોરોના વાયરસના ખતરનાક વેરિઅન્ટ ડેલ્ટાના 50 ટકા કેસ જોવા મળી રહ્યા છે. જેનાથી ત્રીજી લહેરની આશંકા વધી છે.
કોરોનાની ત્રીજી લહેરની આશંકામાં થયો વધારો
8 રાજ્યોમાં ડોલ્ટા વાયરસના 50 ટકા કેસ મળ્યા
સરકારે આ વેરિઅન્ટને ગંભીર જાહેર કર્યો
35 રાજ્યોમાં 174 જિલ્લામાં ડેલ્ટા વેરિઅન્ટ મળી ચૂક્યું છે જ્યારે હાલમાં સામે આવેલા ડેલ્ટા પ્લસના મુદ્દે અત્યાર સુધી 12 રાજ્યોમાં કેસ સામે આવ્યા છે. આ રાજ્યોમાં 49 સેમ્પલમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ મળ્યો છે જેને સરકારે હાલમાં ગંભીર વેરિઅન્ટના રૂપમાં જાહેર કર્યો છે. રાષ્ટ્રીય મહામારી નિયંત્રણ કેન્દ્રના નિર્દેશકે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 21109 ગંભીર વેરિઅન્ટ સેમ્પલ મળ્યા છે. તેમાં અલ્ફા 3969, બીટા 149, ગામા એક અને ડેલ્ટા અને કાપા વેરિઅન્ટના 16238 સેમ્પલમા મળ્યા છે.
મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસના કારણે વધી છે ચિંતા
દેશમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટની ચિંતાની વચ્ચે મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વધી છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં ફરી વધારો જોવા મળ્યો છે. ગુરુવારે અહીં 9844 નવા કેસ આવ્યા છે. આ સિવાય રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ પણ સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 60,07,431 થઈ છે. સાથે 197 અન્ય લોકોના મોતની સાથે કુલ મૃતકોની સંખ્યા 1,19,859 પહોંચી છે. તેમાંથી 149 લોકોના મોત 48 કલાકમા થયા છે અને 48 લોકોના મોત છેલ્લા એક અઠવાડિયામાં થયા છે. વિભાગનું કહેવું છે કે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 95.93 ટકા છે. જ્યારે મૃત્યુદર વધીને 2 ટકા થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9371 રોગીને સાજા થયા બાદ હોસ્પિટલથી રજા આપવામાં આવી છે. જેની સાથે સાજા થનારાની સંખ્યા 57,62,661 થઈ છે. આ સક્રિય કેસમાં સંખ્યા 1,21,767 પહોંચી છે. 24 કલાકમાં કોરોના વાયરસની તપાસ કરાઈ છે જેમાં 4,03,60,931 લોકોના ટેસ્ટ કરાયા છે.
વધારે સંક્રમણવાળા 7 વિસ્તારોમાં તપાસ અને વેક્સિનેશન વધારોઃ સીએમ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્વાસ્થ્ય અધિકારીઓને રાજ્યના 7 જિલ્લા પર ધ્યાન કેન્દ્રીત કરવાનું કહ્યું છે જ્યાં કોરોના વાયરસના સંક્રમણની તુલનાત્મક રીતે વધારે કેસ સામે આવી રહ્યા છે. ઠાકરેએ કહ્યું કે એવા જિલ્લામાં તપાસ અને વેક્સિનેશનની સંખ્યા વધારવામાં આવે જ્યાં સંક્રમણ ખૂબ જ વધારે છે. તેઓએ એ વાતની પણ સ્પષ્ટતા કરી છે કે પ્રતિબંધમાં ઢીલ આપવામાં ઉતાવળ કરવી નહીં અને વાયરસના પ્રસારને જોતા સ્થાનીક પ્રશાસને બેદરકારી રાખવી નહીં. રાયગઢ, રત્નાગિરી, સિંઘુદુર્ગ, સતારા, સાંગલી, કોલ્હાપુર અને હિંગોલીમાં સંક્રમણના વધારે કેસ સામે આવી રહ્યા છે. ઠાકરેએ કહ્યું કે હાલમાં કોરોનાની બીજી લહેર ડેલ્ટા પ્લસ પ્રકાર અને ત્રીજી લહેરને જોતા સ્વાસ્થ્યને સારું રાખવું જરૂરી છે.
ડેલ્ટા પ્લસને લઈને વૈજ્ઞાનિકોને ખાસ જાણકારી મળી નથી. હાલની સ્થિતિ પ્રમાણે મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસના 20 કેસ, તમિલનાડુમાં 9 કેસ, ગુજરાતમાં 2 કેસ, પંજાબમાં 2 કેસ, મધ્યપ્રદેશમાં 7 કેસ, કેરળમાં 3 કેસ અને આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, જમ્મૂ કાશ્મીર અને કર્ણાટકમાં 1-1 કેસ જોવા મળી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસથી મોત
મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વાયરસથી 80 વર્ષના વૃદ્ધનું મોત થયું છે જ્યારે આ અગાઉ ઉજ્જૈનમાં પણ એક મહિલાનું ડેલ્ટા પ્લસના કારણે મોત થયું હતું. સરકારે મહારાષ્ટ્રમાં પાબંધીઓ વધારવાના આદેશ જાહેર કર્યા છે. આ સાથે ડેલ્ટા વાયરસને લઈને સતર્કતા રાખવામાં આવી રહી છે.
ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસને લઇ કેન્દ્ર સરકાર ગંભીર
દેશમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસને લઇ કેન્દ્ર સરકાર ગંભીર બની છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આઠ રાજ્યોને પત્ર લખ્યો છે. પત્ર લખી આરોગ્ય મંત્રાલયે ડેલ્ટા વેરિયન્ટના વધતા કેસ પર ચિંતા વ્યક્ત કરી છે. પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે તમામ રાજ્યો તપાસ અને જીનોમ સિક્વેંસિંગ માટે સેમ્પલ મોકલવા કહ્યું છે. આરોગ્ય મંત્રાલય તરફથી એવા રાજ્યોને પત્ર લખાયો છે જ્યાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના સૌથી વધુ કેસ સામે આવ્યાં હોય. આવા રાજ્યોને આગાળની તપાસ અને જીનોમ સિક્વેંસિંગ માટે INSACOG હેઠળ રાજ્યોને પ્રયોગશાળાઓમાં પર્યાપ્ત સંખ્યમાં પોઝિટિવ સેમ્પલ મોકલવા માટે કહેવાયું છે. ડેલ્ટા પ્લસ પ્રભાવિત રાજ્યોને વધુમાં કહેવાયું છે કે જે પણ જિલ્લામાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસ સામે આવ્યાં છે તે જિલ્લાના વિસ્તારોને તાત્કાલિક ધોરણે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે. મહત્વનું છે કે દેશમાં છેલ્લા કેટલાક દિવસથી ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કેન્દ્ર સરકારે જાણકારી આપી છે કે અત્યાર સુધી ભારતના 18 જિલ્લામાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 52 કેસ સામે આવી ચુક્યાં છે.