બેંકો અને લોન લેનાર સંસ્થાઓના નૉન પરર્ફોમિંગ અસેટ્સ એટલે કે NPA ભારતીય અર્થવ્યવસ્થા પર મોટો બોજ બનતા જઇ રહ્યા છે. એનપીએ એટલે કે વ્યક્તિ અથવા કંપની લોન લીધા બાદ બેન્ક પાછી લેવામાં નિષ્ફળ રહે છે તો તે લોનને નૉન પર્ફોર્મિંગ અસેટ કહેવામાં આવે છે.
ભારતમાં કુલ એનપીએનો 50 ટકા ભાગ એટલે કે લગભગ 4 લાખ કરોડ રૂપિયાની રકમ ટોપ 100 લોન લેનારના નામ પર નોંધાયો છે. એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટની આરટીઆઇ દ્વારા આ જાણકારી મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે.
'ધ વાયર' મુજબ, આરબીઆઇએ જણાવ્યું છે કે, 31 ડિસેમ્બર 2018 સુધી ટોચના 100 લોકોને કારણે 4,46,158 કરોડ રૂપિયા એનપીએ લંબાયા છે. સરળ શબ્દોમાં કહીએ તો, ટોચના 100 ઉધાર લેનાર બેન્કોની લગભગ 4.5 લાખ કરોડ રૂપિયા દબાવી રાખ્યા છે. જોકે, આરબીઆઇએ આ જાણકારી આપવાનો ઇનકાર કર્યો છે કે લોન લેનાર ટોચના 100 લોગ કોણ છે.
અંગ્રેજી વેબસાઇટની રિપોર્ટ મુજબ, 5 ફેબ્રુઆરી 2019ને તત્કાળ નાણામંત્રીના રાજ્યસભામાં જાણકારી આપી હતી કે 31 ડિસેમ્બર 2018 સુધીમાં કોમર્શિયલ એનપીએના આંકડો 10,09,286 કરોડ રૂપિયા હતો. તેમા સરકારી બેન્કોની એનપીએની ભાગીદારી 8,64,433 કરોડ રૂપિયા હતી.
આપને જણાવીએ કે 26 એપ્રિલ 2019ને સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ડિફોલ્ટર્સની જાણકારી સાર્વજનિક કરવાથી ઇનકાર કરવાની અવમાનના પર નોટિસ મોકલી હતી. કોર્ટે આરબીઆઇની ટીકા કરતા તેને પોતાની પારદર્શિતા સાથે જોડાયેલી દિશા નિર્દેશોને વધુ સારા બનાવવાનો આદેશ આપ્યો હતો. સાથે જ તેની જાણકારી જનતાને આપવા કહ્યું હતું.
કોર્ટે કહ્યું હતું કે આરબીઆઇ પાસે આ છેલ્લી તક છે અને જો બેન્ક હજુ પણ તેની જાણકારી આપવાથી ઇનકાર કરે છે તો તેના વિરુદ્ધ અવમાનનાના કેસમાં કાર્યવાહી કરવામાં આવશે.