છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કુલ 3,64,252 બેરોજગારો છે જેમાંથી 3,46,436 શિક્ષિત છે, સરકારી ભરતી માટે અનેક પદો ખાલી છે છતાંય બેરોજગારો રામ ભરોસે
માર્ગ અને મકાન વિભાગમાં 50 ટકા પદ ખાલી
જિલ્લા કચેરીઓમાં 3 હજાર 976 જગ્યાઓ ખાલી
વિધાનસભા ગૃહમાં સરકારે ખુદ કર્યો સ્વીકાર
ગાંધીનગર વિધાનસભા સત્રમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા બેરોજગારોની સંખ્યા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો,. જેનો સરકારે જવાબ રજૂ કરતા જણાવ્યુ હતું કે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કુલ 3,64,252 બેરોજગારો છે જેમાંથી 3,46,436 શિક્ષિત બેરોજગાર છે. જ્યારે 17, 876 અર્ધશિક્ષિત બેરોજગારો છે. તે બાદ માર્ગ અને મકાન વિભાગમાં ખાલી જગ્યાને લઈનને થયેલા સવાલના જવાબમાં ખુદ સરકારે સ્વીકાર્યું છે કે માર્ગ અને મકાન વિભાગમાં 50 ટકા પદ ખાલી છે.
વિધાનસભા ગૃહમાં સરકારે માર્ગ અને મકાન વિભાગમાં ખાલી જગ્યાને લઈ શું કર્યો સ્વીકાર?
લાખોને નોકરી આપવાના દાવા પોકળ
રાજ્ય સરકારના લાખોને નોકરી આપવાના દાવા પોકળ સાબિત થયા છે. સરકારે પોતાના જવાબમાં વધુ જણાવ્યુ કે બે વર્ષમાં સરકારે માત્ર 1276 બેરોજગારોને જ નોકરી આપી છે. વળી નવાઇની વાત તો એ પણ સામે આવી છે 16 જિલ્લાઓમાં સરકાર દ્વારા એક પણ નોકરી આપવામાં આવી નથી. સરકારના આ ચોંકાવનારા ખુલાસાએ 10 વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવાઓ ખોટા સાબિત કર્યા છે.
રોજગારીની વિગતોમાં વિસંગતતા- MLA પૂંજાભાઇ વંશ
સરકારે રજૂ કરેલી રોજગારીની માહિતી મામલે MLA પુંજાભાઈ વંશે વિધાનસભામાં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો. અમદાવાદમાં રોજગારીની વિગતો વધારે દર્શાવી હોવાથી પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો. તેમણે જણાવ્યુ કે અમદાવાદ જિલ્લામાં નોંધાયેલ શિક્ષિત બેરોજગાર સંખ્યા અને રોજગારી આપ્યાની માહિતીમાં વિસંગતતા છે. અમદાવાદમાં કુલ 26,628 બેરોગાર નોંધાયા તેની સામે સરકારે 69,669 રોજગાર આપ્યા તેવી માહિતી રજૂ કરી છે. સરકારે બેરોજગારોની નોંધણી કરતા વધારે રોજગારી આપી તેવી માહિતી રજૂ કરી હોવાનું જણાવ્યુ હતું
ભાજપ સરકારની વધી ચિંતા
તો આ તરફ વિધાનસભા ચૂંટણી પહેલા બેરોજગારો મામલે કોંગ્રેસ આક્રમક મોડમાં જોવા મળ્યું. હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ 28 માર્ચે બેરોજગારો મામલે ચલો ગાંધીનગર આંદોલનનું એલાન કર્યું છે. હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ સરકાર સમક્ષ 3 માગો મુકી છે. પહેલી માગ 15 લાખ યુવાનોને તાત્કાલિક નોકરી આપવામાં આવે. બીજું કે પેપર લીક મામલે તાત્કાલિક કાયદો બનાવવામાં આવે. ત્રીજી માંગ પેપરલીકના આરોપી સામે પગલાં લેવામાં આવે.