કેન્દ્ર સરકાર દ્વારા રાતો-રાત લેવાયેલા નિર્ણયને કારણે રાજયમાં 50 લાખથી વધુ લોકોને હાલાકી ભોગવવી પડશે. અમદાવાદમાં 5 લાખ લોકો આ કારણે ધક્કે ચઢશે.
એક લાઈસન્સ કઢાવવાનો ખર્ચ રૂા. 5000 થાય
PM મોદી ગુજરાતની મુલાકાતેથી વિદાય થાય પછી બેઠક પરિવહન મંત્રી બેઠક યોજશે
વાહનચાલકો કરી રહ્યા છે આ અંગે વિરોધની તૈયારીઓ
કેન્દ્ર સરકારના નિર્ણયથી લોકોને હાલત કફોડી બની છે. લાયસન્સ રિન્યુની 5 વર્ષની મર્યાદા ઘટાડી 1 વર્ષ કરી દેવામાં આવી છે જેને કારણે રાજ્યમાં 50 લાખ લાયસન્સ ધારકોને અસર પહોંચી રહી છે. એક લાયસન્સ કઢાવવાનો ખર્ચ રૂા. 5000 જેટલો થાય છે.
અમદવાદમાં 5 લાખ લોકોએ લાયસન્સ રિન્યુ કરવા પડશે
એકલા અમદાવાદમાં જ 5 લાખ લોકોએ પોતાના લાયસન્સ રીન્યુ કરાવવા પડશે. લોકોએ કાચા અને પાકા લાયસન્સ નવેસરથી કઢાવા પડશે. એવામાં RTOમાં સર્વર ડાઉન અને એ સિવાયની લાંબી લાંબી કતારોથી બચવા માટે પણ કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે કોઈ પગલા લીધા છે કે નહીં તે વિશે હજુ જાણકારી આપવામાં આવી નથી.
રૂા. 5000થી વધુ થાય છે ખર્ચ
મુદ્દત વિતી ગઇ હોય તેવા લાઇસન્સ ધારકોએ વાહનના કાચા અને પાકા લાઇસન્સ માટે એકડે એકથી શરૂઆત કરવી પડે.
જેમાં ટૂ વ્હીલરના કાચા અને પાકા માટે રૂપિયા રૂા. 900 અને અને ટૂ-ફોર વ્હીલર લાઇન્સના 1350 અને ટૂ-થ્રી-ફોર વ્હીલર લાઇસન્સના 1850 વસૂલાય છે. એ સિવાય એપોર્ટમેન્ટ લેવી ઈ-પેમેન્ટ કરવું આ બધાનો ખર્ચો ઉમેરો એટલે કે, ખર્ચ રૂા. 5000 થઈ જાય છે.
આ અંગે શું કહે છે પરીવહન મંત્રી આર. સી ફળદુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમના ગયા પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજવામાં આવશે. જેમાં ટ્રાફિકના નવા દંડ અંગેના પ્રત્યકે મુદ્દે ચર્ચા થશે. જેમાં લાઇસન્સમાં ઘટાડેલી મુદ્દતના પ્રશ્ને પણ ચર્ચા કરાશે. સમસ્યાઓ હશે તો પ્રજાના હિતમાં નિર્ણય લેવાશે. - આર. સી. ફળદુ