જામનગર બાદ હવે ભાવનગરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઉનાથી 50 કિલોમીટર દુર દરિયામાં 3.3 રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. દરિયાઇ તટના ગામડાઓમાં હળવા કંપનનો અનુભવ થયો છે.
ઉનાથી 50 કિ.મી. દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ
બપોરે 3.35 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા
3.3ની તીવ્રતા સાથે ભૂકંપનો આંચકો
ભાવનગરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મહુવા અને આસપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઉનાથી 50 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ છે. બપોરે 3.35 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકો 3.3ની તીવ્રતા સાથે નોંધાયો હતો.
મહુવામાં ધરતીકંપના આંચકા અનુભવાયા, બોરડી, કોજલી, કુંભણ, કાળેલા, સહિતના ગામોમાં ધરતીકંપના આંચકા અનુભવાયા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
જામનગરમાં છેલ્લા 5 દિવસમાં 8 ભૂકંપના આંચકા
જામનગર જિલ્લામાં પણ ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. જામનગરમાં જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં 8 ભૂકંપના આંચકા અનુભવાયા છે. કાલાવાડના બાંગા, ખાનકોટડા, બેરાજા ગામમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ અનુભવાયો છે. સતત પાચમાં દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.5થી 3 સુધીના આચતા અનુભવાયો છે.
ભૂકંપ કેમ આવે છે?
ધરતી પરની સપાટી 7 ટેકટોનિક પ્લેટોથી બનેલી હોય છે. આ પ્લેટ એક બીજા સાથે ટકરાય ત્યારે ભૂંકપનો ખતરો થાય છે. ભૂકંપ આવે છે ત્યારે આ પ્લેટ્સ એક બીજાના ક્ષેત્રમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. પ્લેટ્સ એક બીજા સાથે અથડાય છે તેના કારણે ઘણી ઉર્જા ઉત્પન થાય છે. તે ઘર્ષણ કે ફ્રિકશનથી ઉપરની ધરતી ડોલવા લાગે છે. વધુ પડતા કંપનથી ધરતી ફાટી પણ જાય છે. મોટા આંચકાના અનેક મહિના કે સપ્તાહો બાદ હળવા ભૂકંપ આવે છે. હળવા આંચકાને આફ્ટરશોક કહેવાય છે.