નાઈજીરિયાના એક ચર્ચ પર હુમલો થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 50 લોકોના મોતની આશંકા છે.
નાઈજીરિયામાં ચર્ચ પર અજાણ્યા શખસોએ હુમલો કર્યો
આ હુમલામાં 50 લોકોના મોતની આશંકા
હજી સુધી કોઈ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી
નાઈજીરિયામાં ચર્ચ પર અજાણ્યા શખસોએ હુમલો કર્યો
નાઈજીરિયાના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા એક ચર્ચમાં રવિવારે અજાણ્યા શખસોએ હુમલો કર્યો હતો. અચાનક જ હુમલાખોરોએ ફાયરિંગ શરૂ કરી દેતા 50 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે. હાલ આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
I was at the scene of the terror attack on innocent worshipers at St. Francis Catholic Church in Owo, today. I also visited the hospitals where survivors of the attack are receiving medical attention.
— Arakunrin Akeredolu (@RotimiAkeredolu) June 5, 2022
બંદૂકધારી શખ્સોએ સેન્ટ ફ્રાન્સિસ ચર્ચમાં ઘૂસી અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો
નાઈજીરિયાના સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, કેટલાક બંદૂકધારી માણસો ઓવો શહેરમાં આવેલા સેન્ટ ફ્રાન્સિસ ચર્ચમાં ઘૂસી ગયા હતા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ દરમિયાન હુમલાખોરોએ ચર્ચમાં વિસ્ફોટ પણ કર્યો હતો. મળતી માહિતી મુજબ, રવિવારે પેન્ટેકોસ્ટના તહેવારની ઉજવણી કરવા માટે ખ્રિસ્તીઓ ચર્ચમાં એકઠાં થયા હતા. ગોળીબારના અવાજ વચ્ચે ચર્ચમાં સર્વત્ર આનંદ અને ઉજવણીનો માહોલ હતો, જે ચીસોમાં ફેરવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, મૃતકોમાં ઘણા બાળકો પણ સામેલ છે.
I just arrived Owo from Abuja following the unfortunate attack on the people worshipping at the St. Francis Catholic Church in Owo.
I have received briefs from the Heads of Security agencies in the state. The assailants will be hunted down and they will pay for their crimes. pic.twitter.com/qIiydy2nh4
— Arakunrin Akeredolu (@RotimiAkeredolu) June 5, 2022
હજી સુધી કોઈ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી
આ હુમલામાં ઓછામાં ઓછા 50 લોકો માર્યા ગયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. સત્તાવાર રીતે નાઇજિરિયનના સત્તાધીશોએ મૃતકાંકની પુષ્ટિ કરી નથી. પરંતુ સ્થાનિક મીડિયાના અહેવાલો મૃત્યુઆંકને પચાસ કરતાં વધુ જણાવી રહ્યું છે. આ હુમલો કોણે કર્યો અને શા માટે કર્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. આ ઉપરાંત હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી પણ લીધી નથી. આ કોઈ સ્થાનિક જૂથનું કામ છે કે પછી આતંકવાદી હુમલો? પ્રશાસન આ અંગે કંઈ પણ કહેવાનું સ્પષ્ટપણે ટાળી રહ્યું છે.