ગુજરાતીઓ પણ ઉત્તરાખંડ હોનારતમાં ફસાયા હોવાની ભીતિ સેવાઈ રહી છે. રાજકોટથી 50 પ્રવાસીઓ હરીદ્વાર ગયા હતા જે સુરક્ષિત છે પણ મસૂરી ગયેલા પ્રવાસીઓનો સંપર્ક થઈ શક્યો નથી.
મૈસુરી ટ્રેકિંગ કેમ્પમાં ગયેલા પ્રવાસીઓનો સંપર્ક થઇ નથી રહ્યો.
રાજકોટના 50 પ્રવાસીઓ હરિદ્વાર ગયા છે
રાજકોટથી ગયેલા પ્રવાસીઓ સુરક્ષીત હોવાનો દાવો
ઉત્તરાખંડના ચમોલીમાં થયેલી તબા રાજકોટ થી 50 થી પ્રવાસીઓ હરિદ્વાર ગયા છે. તે તામામ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળોએ રહેવા તંત્રએ અપીલ કરી છે. હાલ તો તમામ પ્રવાસીઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું. જો કે મૈસુરી ટ્રેકિંગ કેમ્પમાં ગયેલા પ્રવાસીઓનો સંપર્ક થઇ નથી રહ્યો. NDRFની વધુ ટીમો દિલ્હીથી મોકલવામા આવી છે.
અસરગ્રસ્ત માટે જાહેર કરાયો હેલ્પલાઇન નંબર
ગ્લેશિયર તૂટવાના કારણે અલકનંદા અને તેની સહાયક નદીઓમાં અચાનક પૂર આવ્યા બાદ સરકારે ગઢવાલ ક્ષેત્રમાં એલર્ટ જારી કર્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને મદદ માટે હેલ્પલાઈન નંબર પણ ખોલવામાં આવ્યા છે. સરકારે કહ્યું છે કે અસરગ્રસ્તો હેલ્પલાઇન નંબર 1070 અથવા 9557444486 પર સંપર્ક કરીને મદદ મેળવી શકે છે.
PM મોદી તથા અમિત શાહ સ્થિત મુદ્દે કરી રહ્યા છે સમીક્ષા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત સાથે વર્તમાન સ્થિતિ મુદ્દે જાણકારી મેળવી રહ્યા છે. તેમણે મુખ્યમંત્રીને રાહત અને બચાવ કાર્ય વિશે સંભવિત જાણકારી હાંસલ કરી હતી. તથા એરલિફ્ટ દ્વારા NDRFની ટીમ પણ રવાના કરવાના આદેશ આપ્યા છે.
ચમોલીમાં થયેલી તબાહી પર બોલ્યા ગૃહમંત્રી અમિત શાહ
ઉત્તરાખંડના ચમોલીમાં થયેલી તબાહી પર ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે દેવભૂમિની સંપૂર્ણ મદદ કેન્દ્ર કરશે. હું ઉત્તરાખંડના મુખ્યમંત્રીના સતત સંપર્કમાં છું. એરફોર્સ પણ હાઇઅલર્ટ પર છે. અને NDRFની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી રહી છે.
150થી વધુ લોકો તણાયાની આશંકા
ઉલ્લેખનીય કે, જોશીમઠની આજુબાજુનો વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત છે. ઉત્તરાખંડ સરકારના મુખ્ય સચિવે આ દરમિયાન કહ્યું છે કે ગ્લેશિયર ધસી પડવાની દુર્ઘટનામાં 100 થી 150 લોકો તણાઈ ગયા હોવાની આશંકા છે. અગાઉ, સ્થાનિક વહીવટીતંત્રે જણાવ્યું હતું કે આ ઘટનામાં 10,000 થી વધુ લોકોની અસર થાય છે.
રાહત કાર્ય પૂરજોશમાં
પ્રાથમિક માહિતી અનુસાર, આ હોનારતથી 10,000 લોકો પ્રભાવિત થયાં હોવાની પણ માહિતી મળી રહી છે. તેમાં એવા લોકો પણ છે જે નદીના કાંઠે રહેતા હતા. વળી, એવા મજૂરો પણ છે જે ડેમમાં કામ કરતા હતા. આઇટીબીપી ઉત્તરાખંડ પોલીસ નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સની ટીમ સ્થળ પર રવાના થઈ છે.
શું બની ઘટના?
ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. રાજ્યના ચમોલીમાં ગ્લેશિયર તૂટી પડતા તબાહી મચી હતી. જિલ્લાના રેણી ગામ નજીક આ ગ્લેશિયર તૂટી પડ્યો હોવાના સમાચારો પ્રાપ્ત થયાં છે, સ્થાનિક વહીવટી તંત્રને સમાચાર મળતા જ ઘટના સ્થળે રાહત કામગીરી પહોંચાડવા તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોના ઘરને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે.