કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ ભાજપ સરકાર પર 50 કરોડના મનરેગા કૌભાંડનો આક્ષેપ કર્યો છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો?
બનાસકાંઠામાં 50 કરોડના મનરેગા કૌભાંડનો આક્ષેપ
જિગ્નેશ મેવાણી-હાર્દિક પટેલનો સરકાર પર મોટો આક્ષેપ
બાલિન્દ્રા ગામમાં 10 કરોડના કૌભાંડનો આક્ષેપ
બનાસકાંઠામાં 50 કરોડના મનરેગા કૌભાંડનો આક્ષેપ કરાયો છે. જિગ્નેશ મેવાણી-હાર્દિક પટેલનો સરકાર પર મોટો આક્ષેપ છે. જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલે કહ્યું કે બાલિન્દ્રા ગામમાં 10 કરોડનું કૌભાંડ કરાયું છે.
શું કહ્યુ હાર્દિક પટેલે?
હાર્દિક પટેલે સરકાર પર આક્ષેપ કર્યા કે સમૃદ્ધ ગુજરાતમાં મનરેગાનું રાજ્યવ્યાપી કૌભાંડ આચરવામાં આવ્યું છે. અને મનરેગા હેઠળ ગરીબોના રૂપિયા લઈ લેવાય છે. બનાસકાંઠાના લોકો સાથે કૌભાંડ આચરાયું છે. હાર્દિક પટેલે કહ્યું કે લોકોના બેંક ખાતા ખોલાવી પૈસા ઉપાડી લેવાય છે. અને ભાજપ સમર્થક સરપંચ અને TDO દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે. એક ગામમાંથી 50થી 100 લોકોના ખોટા એકાઉન્ટ અને જોબકાર્ડ બન્યા છે.
જિગ્નેશ મેવાણીના પ્રહાર
જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કરતા કહ્યું કે મનરેગા યોજના અંતર્ગત 200થી 250 દિવસ કામ અપાય છે. અને કોરોનાના કારણે દેશમાં 16થી 22 કરોડ લોકો બેરોજગાર બન્યા છે. ત્યારે હાલમાં 100 દિવસ જ કામ આપવામાં આવે છે. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે બનાસકાંઠાના 300 ગામોમાં મનરેગાનું કૌભાંડ ચાલે છે.
યોજના વિષે ટૂંકી માહિતી.
યોજનાનું નામ : એમ.જી.એન.આર.ઈ.જી.એ. (MGNAREGA)
આ યોજના અંતર્ગત ગ્રામપંચાયત દ્વારા કોઈપણ બેરોજગાર વ્યક્તિને 100 દિવસની રોજગારી આપવામાં આવે છે અને તેમને દૈનિક વેતન વધુમાં વધુ રૂ. 192 આપવામાં આવે છે. કોઈપણ ગ્રામપંચાયત પંચાયતના વિકાસ માટે અથવા ભૌતિક સુવિધાઓ વધારવા માટે પણ મનરેગા અંતર્ગત પોતાના ગામના બેરોજગાર વ્યક્તિઓને રોજગારી મળી રહે અને પંચાયતમાં સુવિધાઓ વધે તે માટેની અરજી કરી શકે છે.
ઉપરોક્ત તમામ કામોમાં 60 ટકા અને 40 ટકાનો ગુણોત્તર જાળવવો ખૂબ જ જરૂરી છે, એટલે કે 60 ટકા મજૂરી કામ અને 40 ટકા સામગ્રી ખર્ચ કરવામાં આવે છે. ગ્રામપંચાયત ઉપરોક્ત કામ કરવા માટે સૌપ્રથમ પંચાયતની સામાન્ય સભામાં મનરેગા અંતર્ગત કામ કરવાનો ઠરાવ કરે છે અને ત્યારબાદ આ ઠરાવને ફોરવર્ડ લેટર સાથે તાલુકા વિકાસ અધિકારીશ્રીને મોકલાવી આપવાનો રહે છે.