અમીરગઢ ના બાલૂન્દ્રા ગામે મનરેગા કૌભાંડ ને લઇ ગઇકાલે જીગ્નેશ મેવાની તેમજ હાર્દિક પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.જેમાં મનરેગા ના કામમાં કરોડોનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.ત્યારે આ સમગ્ર મામલે બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
બનાસકાંઠાના બાલુન્દ્રા ગામે મનરેગા કૌભાંડનો મામલો
બનાસકાંઠાના સાંસદ પરબત પટેલનું નિવેદન
2020-21માં જિલ્લામાં 64 કરોડના કામનું આયોજન
બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયાં દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર કૌભાંડ મામલે ખુલાસો કરવામાં આવ્યો હતો. DDO અજય દહીંયાએ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીના આક્ષેપોને DDO નકાર્યા હતા.અને જણાવ્યું હતું કેજિલ્લામાં છેલ્લા 7 વર્ષમાં 1.18 કરોડના જ લેબર કામો થયા છે તો બાલુન્દ્રા ગામમાં કરોડોનું કૌભાંડ થવું શક્ય નથી. જોબકાર્ડ મામલે અમે જલ્દી તપાસ કરીશું.
આ સમગ્ર મામલે 7 દિવસમાં તપાસ પુરી કરી જે દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરીશું..આ મામલાની તપાસ નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીને સોંપાઈ છે.તપાસ દરમ્યાન જો કોઈ દોષી હશે તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.
જ્યારે આ કૌભાંડ મામલે જિલ્લા સાંસદ પરબત પટેલ પણ મિડીયા સામે આવ્યા હતા.પરબત પટેલ જણાવ્યું હતું કે 20-21ના વર્ષમાં જિલ્લામાં 64 કરોડનું મનરેગાનું આયોજન છે. મનરેગા યોજનાને જીગ્નેશ મેવાણીએ ખુદ વખાણી હતી. જ્યારે હાલ અમીરગઢ ના ધારાસભ્ય કોંગ્રેસના કાંતિભાઈ ખરાડી છે. પણ તેમને મનરેગા યોજના વિશે કયારેય કોઈ વાત નથી કરી.
પરબત ભાઈ એ વધુ માં જણાવ્યું હતું કે બળુન્દ્રા ગ્રુપ ગ્રામપંચાયતમાં વર્ષે 2014 થી 2020ના વર્ષમાં 1 કરોડ 75 લાખના કામ થયા છે તો કરોડોનો ભ્રષ્ટાચાર કેવી રીતે થાય. બાલુન્દ્રામાં આ વર્ષે 17,76,000 રૂપિયાના કામ બાલુન્દ્રા ગામમાં મનરેગાના છે.
જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ લોકો સમક્ષ કંઈક તો સાચું બોલો તેમ પણ જણાવ્યું હતું. પરબતભાઇ પટેલે કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર તો કોંગ્રેસ કાળમાં એબીસીડીના A થી Z સુધીના અનેક થયા છે.આક્ષેપો કર્યા પહેલા આ સમગ્ર મામલે જાણવું જરૂરી હોય છે. બલૂન્દ્રા ગામે કૌભાંડ ના આક્ષેપ ને લઇ તપાસ સોંપવામાં આવી છે.જે દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવા માં આવશે.
મનરેગા કૌભાંડ મામલે હાલ તો વહીવટી તંત્ર ની ઊંઘ હરામ થઈ છે.બાલુન્દ્રામાં ગેરરીતિ ના આક્ષેપ ને લઇ આ બાબતે જિલ્લા કક્ષાથી તપાસ કમિટી બનાવાઈ છે..જોકે હવે આ કમિટી કેવી તપાસ કરેછે.તે જોવું રહ્યું.