એક તરફ ઑમિક્રૉન વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. તો બીજી તરફ કોરોનાના વધતાં કેસ પણ ચિતા ઉપજાવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 50 કેસ પોઝિટિવ નોંધાયા છે. તો કોરોનાને માત આપીને 24 દર્દી ડિસ્ચાર્જ થઈ ઘરે પરત ફર્યા છે. આણંદમાં કોરોનાને કારણે વધુ એક દર્દીનું મૃત્યુ નીપજ્યું છે તો કોરોનાગ્રસ્ત 9 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. હાલમાં ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 309 જેટલી થઈ ગઈ છે.
જો છેલ્લા 7 દિવસના કોરોનાના એવરેજ કેસની વાત કરવામાં આવે તો 32 કેસ રોજના સરેરાશ આવી રહ્યા છે. ગત ગુરુવાર 25 નવેમ્બરના રોજ માત્ર 31 જેટલા કેસ નોંધાયા હતા જે આજે આવેલા કેસની સરખામણીએ 62% જેટલા કેસ વધારે આવ્યા છે. એટલે કે આજે 50 કેસ આવતા છેલ્લા દિવસોની સરેરાશે કોરોના પોઝિટિવ કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે તેવુ કહી શકાય.
છેલ્લા એક સપ્તાહના કોરોના કેસ
તારીખ
કોરોના કેસ
25 નવેમ્બર
31
26 નવેમ્બર
27
27 નવેમ્બર
28
28 નવેમ્બર
26
29 નવેમ્બર
27
30 નવેમ્બર
40
1 ડિસેમ્બર
45
રાજ્યભરમાં અત્યાર સુધી 10094 મૃત્યુ થઈ ચૂક્યા છે જ્યારે 817158 દર્દીઓ કોરોનાને માત આપી છે. સારી વાત એ છે કે ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.74 ટકા જેટલો રહ્યો છે. જો આજે આવેલા કેસ જિલ્લા વાઈઝ જોઈએ તો અમદાવાદ શહેરમાં 15 કેસ,સુરતમાં 7, વડોદરામાં 10 કેસ,રાજકોટમાં 5, કચ્છમાં 3, ભાવનગરમાં 3 કેસ,આણંદમાં 1, ગાંધીનગરમાં 1, ગીર સોમનાથમાં 1 કેસ, જામનગરમાં 1, નવસારીમાં 1 કેસ તેમજ તાપીમાં 1, વલસાડમાં 1 કેસ સામે આવ્યો છે.
સિવિલ તંત્ર સજ્જ
નવો વેરિએન્ટ એ ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ ઘાતક છે ત્યારે આ વખતે આરોગ્ય વિભાગે અગાઉથી તૈયારીઓ શરૂ કર દીધી છે. જેના માટે 1200 બેડની કોવિડ હોસ્પિટલ પણ રિઝર્વ રાખવામાં આવી છે. જ્યારે સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ સજ્જ બન્યું છે જેના ભાગ રૂપે 350 વેન્ટિલેટર બેડ, 850 ઓક્સિજન બેડ તેમજ 20 હજાર લીટરા 2 ઓક્સિજન ટેન્ક પણ ઉપલબ્ધ રાખી દેવામાં આવ્યા છે. સમગ્ર તૈયારીઓની વાત કરતા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે બીજી લહેરની સરખામણીએ તંત્ર સચેત છે જરૂર પડે તો સિવિલ મેડિસિટીમાં 3 હજાર બેડની ક્ષમકા કરાશે, જેથી પ્રથમ અને બીજી લહેર દરમિયાન જે સમસ્યા સર્જાઈ હતી તે નહીં સર્જાઈ, ડોક્ટરના જણાવ્યા મુજબ ક્લાસ 1થી 4 સુધી તમામ સ્ટાફ ટ્રેનિંગ સાથે સ્ટેન્ડબાય રાખી દેવામાં આવ્યો છે..