લુણાવાડાથી ન્હાવા આવેલા 5 યુવાનો મહિસાગર મંદિર પાસે મહીં નદી ડૂબ્યા, સ્થાનિકોએ યુવાનોની શોધખોળ શરૂ કરી
મહિસાગર મંદિર પાસે મહીં નદીમાં 5 યુવાન ડૂબ્યા
લુણાવાડાથી ન્હાવા આવેલા 5 યુવાનો ડૂબ્યા
છેલ્લા એક મહિનામાં 14 યુવાનના ડૂબવાથી મૃત્યુ થયા
મહીસાગર જિલ્લામાં આવેલા મહીસાગર મંદિરની નજીક ગોઝારી દુર્ઘટના ઘટી છે. લુણાવાડાથી ન્હાવા આવેલા 5 યુવાનોના ડૂબતા મોત થતાં પંથકમાં એરેરાટી વ્યાપી છે. મહીં નદીમાં ન્હાવા માટે યુવકો આવ્યા હતા વહેણમાં વધારો થતાં અચાનક એક બાદ એક યુવાનો ડૂબી ગયા હતા. હાલ સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તેમજ પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી છે. છેલ્લા એક મહિનામાં મહી નદીમાં 14 યુવાનના ડૂબવાથી મૃત્યુ થયા છે.
સ્થાનિકો તરવૈયાઓ દ્વારા યુવાનોની શોધખોળ કરતા 2 મૃતદેહ મળ્યાં
જિલ્લામાં છેલ્લા એક મહિનામાં 16 યુવાનોના ડૂબવાથી થયા મૃત્યુ
નદીમા ન્હાવા ગયેલ યુવાનો નેપાળ,ઉત્તરાખંડ, બિહારના
લુણાવાડામાં હોટલમાં કામ કરતા હતા યુવાનો
મહિસાગર મંદિર પાસે મહી નદીમાં 5 યુવાન ડૂબ્યા હતા
ધુળેટી દરમિયાન 6 યુવાનો ડૂબ્યા હતા
આ પહેલા મહીસાગરમાં ધૂળેટી દરમિયાન કુલ 6 લોકો ડૂબી ગયા હોવાનું સામે આવ્યુ હતું. તેઓ ધૂળેટી રમીને નદીમાં ન્હાવા પડ્યા હતા અને ડૂબવાથી મોત નીપજ્યું હતું, મહીસાગર નદીમાં લુણાવાડાના હાડોડ નજીક 2 યુવકોના ડૂબી જતા મૃત્યુ થયા હતા. જ્યારે ઢેસિયા ગામના બે યુવકો હાડોડ નજીક નદીમાં ડૂબ્યા ગયા હતા. જ્યારે વણાંકબોરી નજીક પણ 4 યુવાનો ડૂબ્યા હોવાનું સામે આવ્યુ હતું. આ ઉપરાંત નદી પરથી છલાંગ મારી વીરપુર પાસે નદીમાં 2 યુવકો તણાઇ ગયા હતા.
નદીમાં ન્હાવા જતા પહેલા ચેતજો
વારંવાર બનતી ડૂબવાની ઘટનાને લઈ જવાબદાર તંત્રએ પણ સજ્ઞાન લેવાની જરૂર છે તેમજ લોકોએ પણ નદીમાં ન્હાવા પડવાથી બચવું જોઈએ ખાસ કરીને જ્યાં તંત્ર દ્વાર સાઈન બોર્ડ લગાવામાં આવ્યા હોય તેવી જગ્યાએ તો ભૂલથી પણ ન્હાવા ન પડવું જોઈએ. હાલ તો બનાવમાં 5 યુવાનોની પુરજોશથી શોધખોળ કરાઇ રહી છે. હજુ એક યુવાનની કોઈ જ ભાળ મળી નથી.