બોટાદના ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં 13 વર્ષ બાદ ચૂંટણી યોજાવવા જઈ રહી છે. 13 વર્ષ બાદ રવિવારે મંદિરની ચૂંટણી યોજાશે. મંદિરના કુલ 6 જેટલા ટ્રસ્ટીઓની ચૂંટણી યોજાશે. ટ્રસ્ટીઓની ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્યપક્ષ વચ્ચે જંગ જોવા મળશે.
આ ચૂંટણીના 7માંથી એક આચાર્યપક્ષના ઉમેદવાર બિનહરીફ થયા છે. ત્યારે હવે કુલ બન્ને પક્ષોના 12 ઉમેદવારો મેદાને છે. મંદિરની ચૂંટણીમાં કુલ 20 હજાર 668 મતદારો મતદાન કરશે. ચૂંટણીને લઈને ગઢડા શહેરમાં અલગ અલગ જગ્યાએ 6 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.
ચાંપતો બંદોબસ્ત
6 મતદાન મથકોમાં 27 બુથમાં મતદારો પોતાનો મત આપશે. આ ચૂંટણીમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે 700 જેટલા પોલીસ જવાનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ચૂંટણી પહેલા આચાર્યપક્ષે હજાર ડમી મતદારો ઉભા કરાયાનો દેવપક્ષ પર આરોપ લગાવ્યો છે. આચાર્ય પક્ષના આરોપને દેવ પક્ષના હરજીવનદાસ સ્વામીએ ફગાવ્યા છે.
દશ વર્ષથી ટેમ્પલ બોર્ડની ચૂંટણી હતી વિવાદમાં
ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લાના ગઢડા ગામે ઐતિહાસિક સવામિનારાયણ મંદિર આવેલું છે. જેમા દર ૫ વર્ષે ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાતી હોય છે પરંતુ મતદારોના નામ ચડાવવા અને કમી કરવાનો વિવાદ આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ચાલતો હતો.
જે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો જેને લઈને 13 વર્ષથી ચૂંટણી બંધ હતી, પરંતુ આખરે ચુટણી કરવા સુપ્રીમ કોર્ટે આદેશ કરતા ચુટણી અધિકારીએ જાહેરનામું બહાર પાડ્યું હતું અને 5મી મે એ ચૂંટણી યોજાવાની છે.