અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં કારમાં ગુંગળાઇ જતા એક બાળકના મોતની ઘટના સામે આવી છે. પાયલ પ્લાઝાની પાસે એક કારમાં ગુંગળામણના કારણે 5 વર્ષીય બાળકનુ મોત થયુ છે. મળતી માહિતી મુજબ પાયલ પ્લાઝાના ગેટની બહાર છેલ્લા ઘણા સમયથી એક બિનવારસી હાલતમાં કાર પડી હતી. બિનવારસી હાલતમાં પડી રહેલી કારમાં બાળક ચડ્યુ હતુ. રમતા રમતા બાળક કારમાં ચડી જતા કારનો દરવાજો લોક થયો હતો.. ત્યાર બાદ બાળક કારની અંદર ફસાયો હતો. કારમાં ગુંગળામણના કારણે બાળકનુ મોત થયું છે.