દેશમાં કોરોનાનો કહેર સતત ફેલાઈ રહ્યો છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી રોજ 10હજારથી પણ વધારે દર્દીઓ નવા આવી રહ્યા છે. દેશમાં હાલ સુધીમાં 3 લાખ 20 હજારથી પણ વધારે લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. મોતનો કુલ આંક 9000થી પણ વધારે છે. આ સમયે મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ, હિમાચલ અને પંજાબ આ 5 રાજ્યોમાં કોરોનાનો પોઝિટિવ દર્દીઓનો આંક 3 ટકાથી પણ ઓછો જોવા મળી રહ્યો છે તે સારી વાત છે.
કોરોનાનો કહેર ઘટ્યો
5 રાજ્યોમાં પોઝિટિવ કેસની સંખ્યા 3 ટકાથી પણ ઓછી
મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ, હિમાચલ અને પંજાબમાં ઘટી કોરોનાની રફ્તાર
પોઝિટીવ રેટ 3 ટકાથી પણ ઓછી
આ દરેક રાજ્યોમાં પોઝિટિવ રેટ 3 ટકાથી પણ ઓછો છે. અહીં સો લોકોના કોરોના ટેસ્ટમાંથી 5 જ કેસ પોઝિટિવ આવી રહ્યા છે. આ સિવાય કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢમાં પણ રેટ 5 ટકાની આસપાસ છે. જે રાજ્યોમાં સતત 2 અઠવાડિયા સુધી રેટ 5 ટકાથી ઓછો રહે છે ત્યાં લૉકડાઉનમાં છૂટ આપવામાં આવે છે.
અલગ અલગ રાજ્યોની સ્થિતિ
છેલ્લા 15 દિવસમાં મધ્યપ્રદેશમાં પોઝિટિવિટી રેટ 5 થી 3 ટકા પર આવી ગયો છે. જ્યારે રાજસ્થાનમાં છેલ્લા એક મહિનાથી આ દર સતત 2% જેટલો રહ્યો છે. કેરળમાં પોઝિટિવિટી રેટ 31 મે અને 13 જૂનની વચ્ચે 1.69% હતો. જ્યારે 19 મેથી 1 જૂન દરમિયાન આ દર 2% હતો. હિમાચલ પ્રદેશમાં પણ છેલ્લા બે અઠવાડિયાથી કોરોના દર્દીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. અહીં સકારાત્મકતા દર 1% છે. આ સિવાય પંજાબમાં પોઝિટિવિટી રેટ 1 ટકા છે.
દેશની સ્થિતિ
કેટલાક રાજ્યોમાંથી સારા સમાચાર આવી રહ્યા છે પણ દેશમાં કોરોનાની સ્થિતિમાં કોઈ ઘટાડો જોવા મળી રહ્યો નથી. 7-21મે ની વચ્ચે ભારતમાં પોઝિટિવિટી રેટ 5 ટકા હતો. 19 મેથી 1 જૂનનની વચ્ચે તે 6.4 ટકા હતો. 31મેથી 13 જૂનની વચ્ચે તેમાં વધારો જોવા મળ્યો હતો. હાલમાં પોઝિટિવિટી રેટ 7 ટકા છે.