ગુજરાતમાં પણ એવા ઐતિહાસિક પેલેસ આવેલ છે જેના વિશે ઘણા લોકો નથી જાણતા. આજે અમે તમને એવા જ પેલેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ગુજરાત વિભિન્ન સંસ્કૃતિઓ માટે ઘણું ઓળખીતું અને ટુરીસ્ટને આકર્ષિત કરતું રાજ્ય છે
દેવગઢબારિયાનો પેલેસ દુનિયાભરના લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર છે
ઓર્ચાર્ડ પેલેસને 1930-1940 ના દાયકામાં બનાવવામાં આવ્યું હતું
ગુજરાત એક એવું શહેર છે જે તેની વિભિન્ન સંસ્કૃતિઓ માટે ઘણું ઓળખીતું અને ટુરીસ્ટને આકર્ષિત કરતું રાજ્ય છે. ગુજરાતમાં આવેલ ઘણા શહેર વિશ્વભરમાં મશહુર છે. ગુજરાતમાં જ ઘણા ઐતિહાસિક શહેર આવેલ છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આપણે ગુજરાતી લોકો ઇતિહાસ, કિલ્લા અને પેલેસ જોવા માટે ગુજરાત છોડીને રાજસ્થાનમાં પંહોચીએ છીએ પણ ગુજરાતમાં એ એવા ઐતિહાસિક પેલેસ આવેલ છે જેના વિશે ઘણા લોકો નથી જાણતા. આજે અમે તમને એવા જ પેલેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
1. દેવગઢ બારિયા (Devgadh Baria)
દેવગઢબારિયાનો પેલેસ દુનિયાભરના લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. ગોધરાથી 44 કિમીના દૂર અને દાહોદથી 54 કિમીના દૂર આવેલ દેવગઢ પનમ નદી પાસે સ્થિત છે. ત્યાં હજુ પણ શાહી પરિવારોની ઘણી વિરાસતો હાજર છે અને ટેને જોવા માટે લોકો દૂર દૂરથી ત્યાં આવે છે.
2. લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા ( Lakshmi Vilas Palace- Vadodara)
લક્ષ્મી વિલાસ પેલેસ એ વડોદરામાં આવેલ ગાયકવાડ રાજવંશના મહેલનું નામ છે. આ મહેલ ઇ.સ 1890 માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના આદેશ પર બાંધવામાં આવ્યો હતો. આ મહેલ મહારાજા સયાજીરાવ ગાયકવાડ III દ્વારા £180,000 (₹27,00,000) ના ખર્ચે બાંધવામાં આવ્યો હતો. આ પેલેસ બકિંઘમ પેલેસ કરતાં ચાર ગણો મોટો છે.
3. ખીરાસરા પેલેસ - રાજકોટ (Khirasara Palace - Rajkot)
રાજકોટથી 14 કિલોમીટર દૂર, ખીરાસરા ગામથી 150 ફૂટ ઉપર, 7 એકરમાં ફેલાયેલ ખીરાસરા પેલેસ કાઠિયાવાડના ભવ્ય ભૂતકાળના સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિનું સાક્ષી છે. આ પેલેસનું નિર્માણ ઠાકુર રણમલજી એ કર્યું હતું અને એ પછી ઠાકુર સૂરસિંહજી એ એક ભવ્ય રૂપ આપ્યું હતું. આજે આ પેલેસને વિરાસત હોટેલનું રૂપ આપી દેવામાં આવ્યું છે. દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ માટે આ એક આકર્ષણનું કેન્દ્ર છે.
4. ઓર્ચાડ પેલેસ - ગોંડલ (Orchard Palace - Gonda)
ઓર્ચાર્ડ પેલેસને 1930-1940 ના દાયકામાં બનાવવામાં આવ્યું હતું. એ સમયે ગોંડલ રિયાસતના શાહી મહેમાનો માટે બનાવવામાં આવ્યો હતો. આર્ટ ડેકો ફર્નિચર, પ્રાચીન વસ્તુઓ અને હસ્તકલાથી શણગારવામાં આવેલી સાત રૂમની હેરિટેજને હવે હોટલમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. હાલ ગુજરાતમાં ફરવા આવતા પ્રવાસીઓ માટે આ એક આકર્ષણનું કેન્દ્ર છે.
5. આઈના મહેલ- ભુજ (Aina Mahal - Bhuj)
આઈના મહેલ એ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલો એક મહેલ છે. જેને 18મી સદીમાં બાંધવામાં આવ્યો હતો. આ મહેલ પ્રાગ મહેલની બાજુમાં આવેલો છે. આ મહેલ 1761માં રાવ લખપતજી દ્વારા બંધાવવામાં આવ્યો. આમહેલની દિવાલો સફેદ આરસની છે જેમાં અરીસાઓ લગાવવામાં આવ્યા છે. આ મહેલ પ્રવાસીઓ માટે એક મોટું આકર્ષણનું કેન્દ્ર છે.