ભૂખ્યા રહેવાથી શીખવાની અને કામ કરવાની શક્તિ પર ખરાબ પ્રભાવ પડે છે. એટલે સુધી કે ભૂખ્યા રહેવાથી તણાવ પણ થવા લાગે છે. આજકાલ વજન ઘટાડવા પાછળ ગમે તે કરવા તૈયાર થઈ જતાં લોકો સૌથી પહેલાં ખાવાનું બંધ કરી દે છે. જેના કારણે ફાયદા તો નથી જ થતાં પણ નુકસાન જરૂર થાય છે. એમાં પણ રાતે ભૂખ્યા પેટ સૂવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે.
વજન ઉતારવા માંગતા લોકો થઈ જાઓ સાવધાન
ભૂખ્યા રહેવાથી સ્વાસ્થ્યને થાય છે ગંભીર નુકસાન
રાતે સૂતા પહેલાં આ બેસ્ટ ફૂડ ખાઈ શકો છો
રાતે સૂતા પહેલાં આ બેસ્ટ ફૂડ ખાઈ શકો છો
રાતે સારી ઊંઘ આવે તે માટે સૂતા પહેલાં ચેરી, દૂધ, કેળા, બદામ, બાફેલા ઈંડા, સલાડ, હર્બલ ટી વગેરેનું સેવન કરી શકો છો. સૂવાના 2 કલાક પહેલાં જમી લેવું જરૂરી છે. પણ જો તમે એવું માનતા હોવ કે રાતે ન જમીને વજન ઉતારી શકશો તો આ ખોટી માન્યતા છે.
રાતે ભૂખ્યા પેટે સૂઈ જશો તો થશે આ તકલીફ
વજન વધશે
રાતે વજન ઉતારવાના ચક્કરમાં જમશો નહીં તો ઊંઘ સારી નહીં આવે, મોડી રાતે ભૂખ લાગશે અને સવારે ઓવરઈટિંગ થશે. ભૂખ વધારે લાગવાથી શુગરનું લેવલ ઘટી જાય છે અને તે મેટાબોલિઝ્મને પ્રભાવિત કરે છે. તેના કારણે વજન વધે છે.
એનર્જી નથી રહેતી
રાતે ન જમવાથી બીજા દિવસે સવારે એનર્જી નથી રહેતી અને મૂડ પર સારો રહેતો નથી. જેથી રાતે જમવું ખૂબ જ જરૂરી છે. તેનાથી શરીર અને મગજ બંને પર અસર થાય છે.
ઊંઘને નુકસાન
ઘણાં લોકો રાતે ભૂખ્યા સૂઈ જાય છે. જેના કારણે પેટ ફૂલવાની સમસ્યા વધી જાય છે. સાથે જ રાતે ઘણીવાર લોકો ભૂખ્યા હોવાને કારણે અનહેલ્ધી ઈટિંગ પણ કરી લેતા હોય છે. રાતે સૂવામાં મોડું થાય છે અને સારી રીતે ઊંઘ પણ આવતી નથી.
ગુસ્સો અને ચિડિયાપણું
ખાલી પેટ રહેવાથી ગુસ્સો અને ચિડિયાપણું પણ થવા લાગે છે.
મસલ્સ લોસ થાય છે
જે લોકો મસલ્સ બિલ્ડ કરવાની કોશિશ કરતા હોય છે એવા લોકો માટે ભૂખ્યા રહેવું ખોટો વિકલ્પ છે. રાતે ન ખાવાથી પ્રોટીનની ઉણપ સર્જાય છે અને પોષક તત્વો શરીરને મળતા નથી. સાથે જ લેટ નાઈટ ક્રેવિંગ પણ થાય છે.