જો તમે તમારા સ્વાસ્થ્ય માટે હંમેશા સજાગ રહેતા હોવ તો આ ખબર તમારા માટે ખાસ છે. ટોયલેય યૂઝ કરવાથી લઈ ખોરાક લેતા પહેલા તમે પણ સેનિટાઈઝરનો ઉપયોગ કરો છો તો સમય રહેતા ચેતી જાઓ. થોડા સમય પહેલા એક રિસર્ચમાં ખબર પડી છે કે એવું કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ભારે અસર પડી શકે છે.
એક રિસર્ચ પ્રમાણે અલ્કોહલ બેસ્ડ હેન્ડ સેનિટાઈઝર્સ સિમ્પલ બેક્ટેરિયાને સુપરબગમાં ફેરવે છે જે ખુબ જ શક્તિશાળી એન્ટિબોયોટિકના પ્રતિ પણ પ્રતિકારક થઈ ગયા છે. જેના કારણે અલ્કોહોલ બેસ્ડ હેન્ડ સેનિટાઈઝર્સનો જરૂરિયાત કરતા વધારે ઉપયોગ ન કરવો જોઈએ.
કીટાણુ મારવા માટે પર્યાપ્ત નથી
કીટાણુઓને મારવા માટે વાપરવામાં આવતા સેનિટાઈઝર 60 ટકા અલ્કોહોલ સાથે આવે છે. જેનો અર્થ એ થયો કે કીટાણુંઓને મારવા માટે પુરી રીતે સમર્થ હોતા નથી. કહી શકાય કે હાથ ધોવા માટે સાબુ વધારે સારો વિકલ્પ છે.
સરદી-ખાસી
જો તમે ઓછી અલ્કોહોલ માત્રા વાળા સેનિટાઈઝરનો ઉપયોગ કરી રહ્યા છો તો જાણી લો તેમાં ટ્રાઈક્લોસનની માત્રા વધારે હશે. ટ્રાઈક્લોસન એક પાવરફુલ એન્ટીબેક્ટીરિયલ એજન્ટ છે. જેનો રોજ ઉપયોગ કરવાથી તમારા પારંપરિક એન્ટીબોયોટિક્સ નિષ્પ્રભાવી થઈ જશે. જેના કારણે તમને સરદી-ખાસી જેવી બિમારીઓ ઝડપી નિશાન બનાવી લેશે.
ત્વચા શુષ્ક
હેન્ડ સેનિટાઈઝર્સનો સતત ઉપયોગ કરવાથી તમારી ત્વચા શુષ્ક અને ખુરદુરી થઈ શકે છે. આ ઉપરાંત ઘણા ત્વચા સબંઘીત રોગ પણ થઈ શકે છે. માટેજ સેનિટાઈઝરના વપરાશ બાદ હેન્ડ લોશન લગાવવાની સલાહ આપવામાં આવે છે.
ફર્ટિલિટી પર માઠી અસર
મોટાભાગે સેનિટાઈઝરમાં ફાલેટ્સ રહેલુ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખુબ ખતરનાક છે. તેને સુંઘવાથી તે તમારા શરીરમાં પહોંચીને તમને નુક્સાન પહોંચાડી શકે છે. તેની સૌથી વધારે અસર વ્યક્તિની ફર્ટિલિટી પર પડે છે.
સેનિટાઈઝર્સ બેડ બેક્ટેરિયા સાથે સાથે ગુડ બેક્ટીરિયાને પણ મારી નાખે છે. અને આ તમારી ઈમ્યુનિટી માટે બિલકુલ પણ સારુ નથી. જેના કારણે તમે ઝડપથી બિમાર પડવા લાગો છો.