એક તરફ સરકાર સગર્ભા મૃત્યુદર અટકાવવા અનેક પ્રયત્નો કરી રહી છે, ચિકિત્સા સુવિધાઓમાં સતત વધારો કરી રહી છે. બીજી તરફ મૃત્યુદરનું પ્રમાણ હજુ પણ વધતું જ જાય છે. વાત જામનગર જીલ્લાની કરવામાં આવે તો છેલ્લા પખવાડિયાના ગાળામાં પાંચ સગર્ભાઓના સારવાર હેઠળ મૃત્યુ નીપજ્યા છે. સર્ગભા મહિલાઓની બીમારીને આગળ ધરી આરોગ્ય તંત્રએ પાંગળો બચાવ કર્યો છે.
રાજ્યભરમાં સગર્ભા મહિલાઓના મૃત્યુદરને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા માતૃ વંદના યોજના ચલાવવામાં આવી રહી છે. છતાં પણ મૃત્યુદરના પ્રમાણને નથી શકાયો નથી તે વાસ્તવિકતા છે. જામગનર જીલ્લામાં દર વર્ષે નવ સગર્ભા મહિલાઓના મૃત્યુ થાય છે. એમ ખુદ આરોગ્ય તંત્ર સ્વીકારે છે. જેની સામે આ વર્ષે સ્થિતિ એકદમ વણસી જતા છેલ્લા પંદર દિવસના ગાળામાં પાંચ સગર્ભા મહિલાઓએ હોસ્પીટલના બીછાને દમ તોડી દીધો છે.
મૃત્યુ પામેલ મહિલાઓ કોઈને કોઈ બીમારીથી પીડાતી હતી એમ જીલ્લા આરોગ્ય તંત્રએ જાહેર કરી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો છે. હજુ તો વર્ષને શરૂઆત જ થઈ છે ત્યાં પખવાડીયામાં પાંચ સગર્ભાના મોત થયા છે. ત્યારે વર્ષના અંતે મૃત્યુઆંક ટોપ પર હશે કે પછી આરોગ્ય તંત્ર સ્થિતિ સુધારી લેશે ?
ત્યારે અનેક સવાલો થાય છે આમ માતાના મોત ક્યાં સુધી થતા રહેશે? માતૃવંદના કાર્યક્રમ જામનગરમાં કેમ સફળ નહી? સગર્ભા માતાઓના આરોગ્યનું ધ્યાન કોણ રાખશે? મહિલાઓની બીમારીનું કારણ કેમ આગળ ધરે છે તંત્ર? શું નિયમિત સારવાર માટે મહિલાઓને નહી સમજાવો? શરીરમાં જરૂરી તત્વોના ઉણપનું નુકસાન કોણ સમજાવશે? 15 દિવસમાં 5 માતાઓના મોત થયા કેમ?