મુંબઈમાં સતત પડી રહેલા અતિભારે વરસાદને કારણે ટેકરી વિસ્તારમાં કાટમાળ પડવાથી એકજ પરિવારના 5 સભ્યોનું મોત થયું છે. બીજી તરફ ઉત્તરાખંડમાં પણ વાદળ ફાટવાને કારણે 3 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો લાપતા છે.
સતત ભારે વરસાદને કારણે મુંબઈમાં 5 લોકોના મોત
ઉત્તરાખંડમાં વાદળ ફાટતા 3ના મોત 4 લોકો ગાયબ
રેસ્કયુ ટીમ દ્વારા ઓપરેશન યથાવત
મુંબઈમાં સતત ભારે વરસાદને કારણે ઠાણેના કલવા વિસ્તારમાં લેંડસ્લાઈડ પરથી ટેકરી પરનો કાટમાળ એક ઘર પર પડ્યો. જેના કારણે તે ઘરના 7 સભ્યો કાટમાળમાં દબાઈ ગયા હતા. ઘટનાને કારણે પરિવારના 5 સભ્યોનું કરૂણ મોત નિપજ્યું છે. તે 5 મૃતકો પૈકી 3 બાળકો હતા તેવી માહિતી સામે આવી છે.
અગાઉ 30 લોકોના મોત
જોકે સમગ્ર ઘટનામાં 5 વર્ષની બાળકીને અને 18 વર્ષના બાળકનું સમયસર રેસક્યુ કરી લેવામાં આવ્યું. જેના કારણે તેઓ બચી ગયા. અગાઉ ગઈકાલે પણ મુંબઈમાં ભારે વરસાદને કારણે 30 લોકોના મોત નિપજ્યા હતા.
3 લોકોના મોત 4 લાપતા
બીજીતરફ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલ માંડો ગામમાં વાદળ ફાટવાને કારણે 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 4 લોકો હજુ પણ લાપતા છે. આ મામલે SDRFની ટીમ રેસક્યૂ ઓપરેશનમાં જોડાયેલી છે. ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં છેલ્લા અમુક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદીઓમાં ભારે પાણીની આવક થઈ છે. પરિણામે પૂરની આશંકા પણ સેવાઈ રહી છે.
120 ખેડૂતો ફસાયા
મુંબઈમાં જે વરસાદી નદીઓ આખુ વર્ષ સુકાયેલી રહે છે. ત્યા પણ ભારે વરસાદને કારણે પાણીની મોટી પ્રમાણમાં આવક થઈ છે. અડવલી ભૂતવલી ગામમાં અમુક ખેડૂતો ખેતરે ગયા હતા. પરંતુ નદીમાં પાણીનું પ્રમાણ વધી જવાને કારણે 120 જેટલા ખેડૂતો ફસાઈ ગયા હતા. જે પૈકી 70 લોકોનું રેસક્યુ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં સુરત અને વલસાડની ગંભીર પરિસ્થિતિ
ઉલ્લેખનીય છે કે આ વર્ષે દેશના મોટા ભાગના રાજ્યોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ગુજરાતની વાત કરીએ તો ગતરોજ સુરતમાં પણ 8 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડમાંતો ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ. જોકે તેમાથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું તો નદી પણ તોફાની બની ગઈ છે.