બોટાદના લઠ્ઠાકાંડની સમગ્ર ઘટનામાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 31 લોકોના મોત થયા છે. જેમાં માત્ર રોજિદ ગામના જ કુલ 9 લોકો મોતને ભેટ્યાં છે.
રોજિદ ગામમાં એક સાથે 5 લોકોના અગ્નિસંસ્કાર કરાયા
ગામમાં ચિતા ખૂટી પડતા જમીન પર અગ્નિ સંસ્કાર કરવાનો વારો
બોટાદ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં કુલ 31 લોકોના થયા છે મૃત્યુ
બોટાદ લઠ્ઠાકાંડની ઘટનાએ એકવાર ફરી સમગ્ર રાજ્યને હલબલાવી મૂક્યું છે. ત્યારે બરવાળામાં લઠ્ઠાકાંડના કારણે મૃતક લોકોના પરિવારમાં મોતનો માતમ છવાયો છે. રોજિદ ગામમાં એકસાથે 5 લોકોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. એમાંય ગામમાં ચિતા ખૂટી પડતા પરિવારજનો જમીન પર અગ્નિ સંસ્કાર કરવા મજબૂર બન્યા. તમને જણાવી દઇએ કે, રોજિદ ગામમાં લઠ્ઠાકાંડની અંદર કુલ 9 લોકો મોતને ભેટ્યાં છે. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં આ લઠ્ઠાકાંડમાં કુલ 31 લોકોના મોત થયા છે.
બોટાદ લઠ્ઠાકાંડ મામલે પિન્ટુ નામના આરોપીની ધરપકડ
વધુમાં આ ઘટનાને લઇને તમને જણાવી દઇએ કે, બોટાદ લઠ્ઠાકાંડ મામલે પિન્ટુ નામના આરોપીની ધરપકડ કરી લેવાઇ છે. જેને જયેશ પાસેથી કેમિકલ લઈને અન્ય બુટલેગરોને કેમિકલ આપ્યું હતું. જયેશે પીન્ટુને ફેક્ટરીમાંથી કેમિકલ આપ્યું હતું કે જેને પીન્ટુએ બરવાળા અને ધંધુકાના બુટલેગરોને આપ્યું હતું.
સરકાર રોજિંદ ગામમાં કડક કાર્યવાહી કરે: કોંગ્રેસ ધારાસભ્ય રાજેશ ગોહિલ
બોટાદ લઠ્ઠાકાંડ મામલે ધંધુકાના ધારાસભ્ય બરવાળા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. કોંગ્રેસ ધારાસભ્ય રાજેશ ગોહિલ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. જ્યાં તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે, 'સરકાર રોજિંદ ગામમાં કડક કાર્યવાહી કરે. અત્યાર સુધી તંત્રએ કોઇ કાર્યવાહી નથી કરી. સરકારને જગાડવા માટે અનેક પ્રયાસો કરાયા. સરકાર દારૂબંધીનો કડક અમલ કરાવે.'
બરવાળા અને ધંધુકા નજીકના ત્રણ ગામમાં લોકોના મૃત્યુ
કથિત લઠ્ઠાકાંડમાં કુલ મૃત્યુઆંક વધીને 31 થયો છે. જેમાં બરવાળા અને ધંધુકા નજીકના ત્રણ ગામમાં લોકોના મૃત્યુ થયા છે. જેમાં વહિયા, ભીમનાથ અને ખરાડમાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જેમાં સૌથી વધારે રોજીદ ગામમાં 9 લોકોના મૃત્યુ થયા છે.
અત્રે તમને વધુમાં જણાવી દઇએ કે, બોટાદના બરવાળામાં લઠ્ઠાકાંડ મુદ્દે સૌથી મોટો ખુલાસો થયો છે. લઠ્ઠાકાંડને લઈ ગુજરાત ATS અને ક્રાઈમબ્રાંચની સઘન તપાસ ચાલુ છે. જે બાદમાં હવે લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલ કાંડ હોવાનો ખુલાસો થયો છે. જેમાં બુટલેગરે કેમિકલમાં પાણી નાંખીને વેંચી દીધા બાદ આ ઘટના સામે આવી છે. આ તરફ હવે પોલીસ તમામ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધશે.
બોટાદ લઠ્ઠાકાંડમાં હવે એક નવી વાત સામે આવી છે. જેમાં આ લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલ કાંડ હોવાનો ખુલાસો થયો છે. વાત જાણે એમ છે કે, અમદાવાદના પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલીA MOS કંપનીમાં મેનેજરની નોકરી કરતાં જયેશે ગોડાઉનમાંથી કેમિકલની ચોરી કરી બુટલેગરોને આપી હતી. જે બાદમાં તેમાં પાણીનું મિશ્રણ કરી બુટલેગરો દેશી દારૂ તરીકે વેચાણ કરતાં હતા. જેથી હવે આ લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલ કાંડ હોવાનો ખુલાસો થયો છે.
ક્રાઈમ બ્રાંચે મુખ્ય આરોપી જયેશની કરી ધરપકડ
લઠ્ઠાકાંડ મામલે પોલીસે મુખ્ય આરોપી જયેશની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી જયેશ અમદાવાદના પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી AMOS કંપનીમાં મેનેજરની નોકરી કરતો હોવાનું ખૂલ્યું છે. જોકે પોલીસે અત્યાર સુધી સંજય અને 5થી વધુ અન્ય બુટલેગરની અટકાયત કરી છે. આ સાથે ક્રાઈમબ્રાંચે AMOS કંપનીના અન્ય કર્મચારીઓને પણ અટકાયતમાં લીધા છે. આ તરફ હવે પોલીસ તમામ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધશે.