દાહોદના નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે ટ્રેક્ટર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 5 મજૂરના મોત થયા હતા. જ્યારે 15 મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. હાલ ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માત
દાહોદ પાસે થયેલા અકસ્માતમાં 5 મજૂરોના મોત
ટ્રેકટર અને ટેન્કર વચ્ચે અકસ્માત
દાહોદના મુવાલિયા ક્રોસિંગ નજીક શુક્રવારની રાત્રે PHP કંપનીના મજૂરો ભરેલું ટ્રેક્ટર મજૂરોને ઘરે મુકવા જતું હતું. આ દરમિયાન પાછળથી આવેલા તેલ ભરેલું ટેન્કર ટ્રેક્ટર સાથે અથડાયું હતું. જેને લઇને ટ્રેક્ટરમાં સવાર 3 મજૂરોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા જ્યારે 2 મજૂરોના સારવાર પહેલા જ મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય 15 મજૂરોને ઇજા પહોંચી છે જેમને 108 એમ્બ્યુલન્સ મારફતે ઝાયડસ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ટ્રેક્ટર અને ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતે દાહોદના પાંચ મજૂરોના જીવ લીધા હતા. અકસ્માતના પગલે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા. જેમણે બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. મહત્વનું છે કે, આ મજૂરો બાંધકામમાં કામ કરતા હતા. જેમને ટ્રેક્ટર પોતાના ગામમાં પરત મુકવા જતું હતું તે દરમિયાન આ દુર્ઘટના બની હતી.