ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ વધુ એક બદલીનો ઓર્ડર ગાંધીનગરથી નિકળ્યો છે, વર્ગ-1ના 5 અધિકારીઓની ગાંધીનગર ખાતે કરાઈ બદલી
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ વધુ એક બદલીના આદેશ
ગુજરાતમાં એક પછી એક ક્લાસ-1,2 અને 3ના અધિકારીઓની થઈ રહી છે બદલી
બદલી સાથે અનેક અધિકારીઓને નવા પદ પર પણ કામગીરી સોંપાઈ રહી છે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ અનેક અધિકારીઓની બદલી થઈ રહી છે. મહત્વનું છે કે, આચાર સંહિતા લાગુ પડ્યા બાદ સરકારના હાથમાં આ પ્રકારની કામગીરીનો પાવર રહેતો નથી. ત્યારે વધુ એક બદલીનો આદેશ કરી દેવાયો છે. જેમાં 5 અધિકારીઓની બદલી ગાંધીનગરમાં કરવામાં આવી છે. જેમાં વર્ગ-1ના 4 અધિકારીઓની પ્રિ-સ્ક્રુટીની ઓફિસર, IORA, મહેસૂલ તપાસણી કમિશનરની કચેરી ગાંધીનગર ખાતે કરાઈ છે. એક અધિકારીની બદલી ના.મનપા કમિશનર ગાંધીનગરમાં કરવામાં આવી છે. પૂજા એલ બાવડા કે જેઓ જિલ્લા પુરવઠા વિભાગમાં અધિકારી રાજકોટમાં ફરજ બજાવે છે. તેમને ગાંધીનગર મનપામાં નાયબ કમિશનરના પદ પર નવી નિમણૂક કરાઈ છે.
થોડા સમય પહેલા ગુજરાતમાં મોટા પ્રમાણમાં બદલી
જૂન મહિનામાં 19 તારીખે ગુજરાતમાં મોટા પાયે અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં અંજુ શર્મામાં રોજગાર વિભાગમાં બદલી GSRTCના MD એસ.જે.હૈદરની શિક્ષણ વિભાગમાં બદલી, નવસારી કલેક્ટર અગ્રવાલની રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં બદલી, રોજગાર વિભાગના સચીવ હર્ષદ પટેલની GSRTCના MD તરીકે બદલી, શિક્ષણ વિભાગમાંથી પી.ભારથીની શ્રમ કમિશનર બનાવાયા હતા.
મહિસાગરના કલેક્ટર આર.બી.બારડની વડોદરા કલેક્ટર તરીકે બદલી
રાજકોટ કલેક્ટર રૈમ્યા મોહનની નેશનલ હેલ્થ મિશનમાં બદલી કરાઈ હતી. જ્યારે મહિસાગરના કલેક્ટર આર.બી.બારડની વડોદરા કલેક્ટર તરીકે બદલી, નવસારી કલેક્ટર આદ્રા અગ્રવાલની રાહત કમિશનર બનાવાયા, જામનગર કલેક્ટર રવિશંકરને SOUના વડા બનાવાયા AMCના DYMC દિલીપ રાણાની આદિજાતિ વિકાસ કમિશનર બનાવાયા,એમ.એ.પંડ્યાને દ્વારકાના કલેક્ટર બનાવાયા છે.
RMCના કમિશનર ઉદિત અગ્રવાલને મહેસાણા કલેક્ટર બનાવાયા
આણંદ કલેક્ટર આર.જી.ગોહિલ ગીર સોમનાથના કલેક્ટર બનાવાયા, સુરત કલેક્ટર ધવલ પટેલને ગાંધીનગર મ્યુનિ.કમિશનર બનાવાયા, AMCના ડે.કમિશનર ડો.ઓમ પ્રકાશની બદલી, ડો.ઓમ પ્રકાશને મહેસાણાના DDO બનાવાયા, RMCના કમિશનર ઉદિત અગ્રવાલને મહેસાણા કલેક્ટર બનાવાયા હતા.