ઝીકા વાયરસ કેરળમાં સંક્રમણ વધારી રહ્યો છે. જો કે આ વાયરસ માટે કોઈ દવા કે વેક્સિન મળી રહી નથી. સાવધાની જ બચવાની શ્રેષ્ઠ રીત છે.
કેરળમાં વધી રહ્યો છે ઝીકા વાયરસનો કહેર
આ વાયરસ માટે કોઈ દવા કે વેક્સિન મળી રહી નથી
સાવધાની જ બચવાની શ્રેષ્ઠ રીત છે
કોરોનાની સાથે કેરળમાં ઝીકા વાયરસના કેસની સંખ્યા સતત વધી રહી છે. ઝીકાના 5 નવા કેસ સામે આવવાની સાથે અહીં સંક્રમણના કુલ કેસ 61 થયા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા અનુસાર 5 લોકો સંક્રમિત થયા છે તે તમામ તિરુવનંતપુરમના છે. અલાપ્પુઝામાં કારયેલા ટેસ્ટમાં 5 લોકો સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.
શું કહે છે સ્વાસ્થ્ય વિભાગ
સ્વાસ્થ્ય વિભાગના અનુસાર જે દર્દીઓને હોસ્પિટલમાં એડમિટ કરાયા નથી તેમની સ્થિતિ સારી છે. મંત્રીએ લોકોને સતર્ક રહેવા કહ્યું છે કેમકે રાજ્યમાં ઝીકા વાયરસથી સંક્રમિત થનારા લોકો વધી રહ્યા છે. સીએમએ કહ્યું કે કેરળમાં ઝીકાના કેસ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના એડીઝ મચ્છરથી ફેલાય છે.
આ રીતે કરી શકાય કંટ્રોલ
સ્વાસ્થ્ય અધિકારીના આધારે સંક્રમિત વ્યક્તિ જો બેડ રેસ્ટ કરે છે તો તેનાથી સંક્રમણ પર કાબૂ મેળવી શકાય છે. ઝીકા વાયરસ માટે કોઈ એન્ટી ફંગલ દવા કે વેક્સિન નથી.વાયરસા બચાવની રીત એ છે કે ખાસ કરીને દિવસના સમયે મચ્છર ન કરડે તેનું ધ્યાન રાખવું. વાયરસ ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક માનવામાં આવી રહ્યો છે. તેનાથી બાળકમાં પણ વાયરસ આવવાની શક્યતા રહે છે. આ સિવાય તેમાં વિકૃતિ પણ આવી શકે છે.
શું છે ઝીકા વાયરસના લક્ષણો
આ વાયરસના લક્ષણ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા જેવા છે. મચ્છર કરડવાથી 2-7 દિવસ સુધી વ્યક્તિ સંક્રમિત રહી શકે છે. ઝીકા વાયરસના લક્ષણોમાં તાવ, માથાનો દુઃખાવો, હાડકા દુઃખવા, સાંધામાં દુઃખાવો, મિતલી, ઉલ્ટી અને અસ્વસ્થતા અનુભવાય છે.