ધ સ્ટેટ વર્કિંગ ઇન્ડિયા 2019ના રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ બેંગ્લોરની અજીમ પ્રેમજી યૂનિવર્સિટીએ જારી કર્યો છે. રિપોર્ટ પ્રમાણે 2016થી 2018ની વચ્ચે આશરે 50 લાખ લોકો બેરોજગાર થયા.
બેંગ્લોર: દેશમાં વધી રહેલી બેરોજગારીથી જોડાયેલો એક રિપોર્ટ સાર્વજનિક થયો છે. જેના પ્રમાણે છેલ્લા 2 વર્ષોમાં આશરે 50 લાખ લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે. આ દાવો ધ સ્ટેટ ઑફ વર્કિંગ ઇન્ડિયા 2019ના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. એને મંગળવારે બેંગ્લોરની અજીમ પ્રેમજી યૂનિવર્સિટીએ જારી કર્યો છે. રિપોર્ટ પ્રમાણે 2016 થી 2018ની વચ્ચે આશરે 50 લાખ બેરોજગાર થયા. કહેવામાં આવ્યું છે કે બેરોજગારી વધવાની શરૂઆત નવેમ્બર 2016માં થયેલી નોટબંધી સાથે થઇ. રિપોર્ટમાં આગળ એવું પણ લખવામાં આવ્યું છે કે નોકરી ઓછી થવી અને નોટબંધીની વચ્ચે કોઇ સીધો સંબંધ સ્થાપિત થયો નથી.
રિપોર્ટ પ્રમાણે બેરોજગારીનો શિકાર ઉચ્ચ શિક્ષા ગ્રહણ કરી ચુકેલા લોકો અને ઓછું ભણેલા લોકો બંને છે. ભારતના લેબર માર્કેટ પર જારી આ રિપોર્ટનો આધાર કન્ઝ્યૂમર પિરામિડ સર્વે રહ્યો. આ સર્વે સેન્ટર ફૉર મૉનિટરિંગ ધ ઇન્ડિયન ઇકૉનોમી કરાવે છે.
રિપોર્ટ પ્રમાણ બેરોજગારી 2011 બાદથી જ ઝડપી વધી રહી છે. પરંતુ 2016 બાદથી ઉચ્ચ શિક્ષા ધારકોની સાથે ઓછું ભણેલા લોકોની નોકરીઓ છીનવાઇ અને એમને મળતી કામની તકો ઓછી થઇ.
રિપોર્ટ પ્રમાણે ગ્રેજ્યુએટ મહિલાઓમાંથી 10 ટકા કામ કરી છે, જ્યારે 34 ટકા બેરોજગાર છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 20 થી 24 વર્ષના શહેરી યુવાઓમાં બેરોજગારી ખૂબ જ છે.