જમ્મૂ-કાશ્મીરના કુલગામમાં મંગળવારે આતંકવાદીઓએ 5 મજદૂરોની હત્યા કરી હતી. બધા 5 મજદૂર પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના રહેવાસી હતા. જે મજદૂરના મોત થયા હતા તેના નામ કમાલુદ્દીન, મુરસાલિમ, રોફિક, નોમુદ્દીન અને રફીકુલ હોવાનું સામે આવ્યું છે. મંગળવારે કરાયેલા હુમલામાં એક મજદૂર ગંભીર રીતે ઘાયલ થયો છે.
આતંકીઓએ 5 મજદૂરોની હત્યા કરી
કુલગામમાં કન્સ્ટ્રકશનનું કામ કરવા આવ્યા હતા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ કુલગામ જિલ્લાના કુત્રુસા ગામમાં મજદૂર પર ગોળીબારી કરી, આ ફાયરિંગમાં પાંચ મજદૂરના ઘટનાસ્થળ પર મોત નિપજ્યાં હતા. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના સાગરદિથી પોલીસ ચોકીના બોખારા બાહલનગર ગામના રહેનારા આ મજૂદરોનું આતંકીઓએ અપહરણ કરી હત્યા કરી દીધી.
એક મહિના પહેલા ગયા હતા કાશ્મીર
આ બધા મજદૂર એક મહિના પહેલા કામ કરવા માટે કાશ્મીર પહોંચ્યાં હતા. જો મજૂદરોની હત્યાના સમાચાર મળતાની સાથે તેમના ગામમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું. ખરેખર તો આ બધા મજદૂર પોતાના ગામમાં પાકનું રોપણ કર્યા બાદ મજદૂરી માટે કાશ્મીર ગયા હતા.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી વ્યક્ત કર્યો શોક
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ હત્યાકાંડ પર શોક વ્યક્ત કર્યો છે. મમતા બેનરજીએ ટવિટ કરી આ હત્યાકાંડ પર દુઃખ વ્યક્ત કર્યું. મમતાએ ટવિટ કરી લખ્યું કે મુર્શિદાબાદના 5 મજદૂરના મોતની ઘટનાથી પરિવારજનોને જે દુઃખ પહોંચ્યું છે તે શબ્દોથી ભરાઇ શકે તેમ નથી. આ દુઃખદ સમયે તેમના પરીવારજનોને દરેક પ્રકારની મદદ કરવામાં આવશે.
ગેર-કાશ્મીર પર આ પાંચમો હુમલો
મંગળવારના રોજ મજદૂરોની હત્યાની ઘટના 14 ઓક્ટોબર બાદ આ 5મો આતંકી હુમલો છે. સોમવારના રોજ અનંતનગમાં આતંકીઓએ કટારામાં રહેનારા ટ્રક ડ્રાઇવરની હત્યા કરી દીધી હતી. 14 તારીખથી અત્યાર સુધીમાં 4 ટ્રક ડ્રાઇવર, એક સફરજનના વેપારી અને એક મજદૂરની હત્યા કરાઇ છે. આ બધા 6 લોકો કાશ્મીરમાંથી બહારના હતા. હવે આ 5 મજદૂરની હત્યા કરી ઘાટીમાં રહેનારા બહારન રાજ્યના લોકોમાં ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
West Bengal: Family & friends of the five labourers (who were shot dead by terrorists in Kulgam, Jammu and Kashmir yesterday) in mourning in Murshidabad. pic.twitter.com/oeVbHxubnk