MSP મુદ્દે કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરવા માટે કિસાન મોરચાએ 5 સભ્યોની એક કમિટી બનાવી છે જેમાં 5 નામ નક્કી કરાયા છે.
કિસાન મોરચાએ 5 સભ્યોની એક કમિટી બનાવી
કમિટી MSP મુદ્દે કેન્દ્ર સરકાર સાથે કરશે મંત્રણા
કેન્દ્ર સરકારે મંગાવ્યા હતા 5 સભ્યોના નામ
યુનાઇટેડ કિસાન મોરચાએ શનિવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં ખેડૂતોની સમિતિ ને 5 નામો પર સંમતિ સધાઈ છે અને આ કમિટી એમએસપી મુદ્દે કેન્દ્ર સરકાર સાથે મંત્રણા કરશે. હવે કિસાન મોરચાની આગામી બેઠક ૭ ડિસેમ્બરે યોજાશે.
MSP કમિટીમાં આ પાંચ નામ સામેલ
એસકેએમસૂત્રોના જણાવ્યા અનુસાર યુધવીર સિંહ, શિવકુમાર કક્કા, બલબીર રાજેવાલ, અશોક ધાવાલે, ગુરનામ સિંહ ચઢ્ધૂની જેવા નામો પર સહમતિ સધાઈ છે. આ સમિતિ સરકાર સાથે વાતચીત કરશે.
SKM has formed a 5-member committee to talk to the Govt of India. It'll be the authorised body to talk to the Govt. The committee will have Balbir Singh Rajewal, Shiv Kumar Kakka, Gurnam Singh Charuni, Yudhvir Singh & Ashok Dhawale. Next meeting of SKM on 7th Dec: Rakesh Tikait pic.twitter.com/h6LKfrHywl
રાકેશ ટીકૈતે ફરી એકવાર પુનરાવર્તન કર્યું હતું કે આંદોલન હજી સમાપ્ત નહીં થાય. ટીકાતે કહ્યું, અમે ક્યાંય જવાના નથી. કિસાન મોરચાની આગામી બેઠક ૭ ડિસેમ્બરે યોજાશે. રાકેશ ટીકૈતે કહ્યું હતું કે, તે યુનાઇટેડ કિસાન મોરચાની મુખ્ય સમિતિ હશે. જે તમામ મહત્વના નિર્ણયો લેશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે MSP મુદ્દે ચર્ચા કરવા કિસાન મોરચા પાસેથી 5 નામ મંગાવ્યા છે.
702 મૃતક ખેડૂતોની યાદી સોંપી
702 મૃતક ખેડૂતોની યાદી સોંપનાર યુનાઇટેડ કિસાન મોરચાની શનિવારે સિંઘુ સરહદ પર બેઠક મળી હતી. આ બેઠકમાં કિસાન મોરચા વતી આંદોલન દરમિયાન શહીદ થયેલા ૭૦૨ ખેડૂતોની યાદી કૃષિ સચિવને સોંપવામાં આવી હતી. આ બેઠકમાં એમએસપી અને ખેડૂતો સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આંદોલન સમાપ્ત થવું જોઈએ કે ચાલુ રાખવું તે પણ નક્કી કરવામાં આવ્યું હતું.