બેન્કમાં રહેલા પૈસા ડૂબશે તો ખાતેદારોને 5 લાખનું વળતર મળશે
નાણાપ્રધાને જાહેર ક્ષેત્રની બેન્કો માટે બજેટમાં રુ 20,000 કરોડની ફાળવણી કરી છે. બેન્કોને બેડ લોન્સ (ડૂબેલી લોન)માંથી ઉગારવા માટે એસેટ રિકન્ટ્રક્શન કંપની એન્ડ એસેટ મેનેજમેન્ટ કંપની રચવાની પણ જાહેરાત કરી છે.
વીમાની રકમ 1 લાખથી વધારીને 5 લાખ કરવાની જાહેરાત
બેન્ક ખાતાધારકોને એક મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે વીમાની રકમ 1 લાખથી વધારીને 5 લાખ કરવાની જાહેરાત કરી છે.અર્થાત, બેન્કમાં રહેલા તમારા પૈસા ડૂબશે તો તમને 5 લાખનું વળતર મળશે. પહેલા બેન્કમાં જમા રકમ પર એક લાખનો વીમો મળતો હતો પરંતુ સરકાર હવે તેને પાંચ લાખ કરી દીધો છે. 2022 માં એલઆઈસીમાં આઈપીઓ લાવવાની સરકારની દરખાસ્ત છે.
નાણાપ્રધાને કહ્યું કે જાહેર ક્ષેત્રની 2 બેન્ક અને જાહેર ક્ષેત્રની એક વીમા કંપનીનું વિનિવેશન કરવાની સરકારની દરખાસ્ત છે. સરકારે તમામ નોન સ્ટ્રેટેજિક અને સ્ટ્રેટેજિક સેક્ટર્સમાં વિનિવેશ માટેની નીતિને મંજૂરી આપી છે. વીમા સેક્ટરમાં ઐતિહાસિક નિર્ણય. એફડીઆઈ 49 ટકા વધારીને 74 ટકા કરાઈ છે.