કોરોના વાયરસ (Coronavirus) ને સાર્સ (SARS) થી પણ વધારે ભયાવહ જાહેર કરવામાં આવ્યો છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ મુજબ કોરોનાએ ચીનમાં અત્યાર સુધીમાં 908 લોકોના જીવ લઇ લીધા છે જ્યારે 40,000થી વધારે લોકોમાં વાયરસના સંક્રમણની પુષ્ટી થઇ ચુકી છે. વાયરસનું સંક્રમણ જે પ્રકારે ઝડપથી વધી રહ્યું છે, તેનાથી આવનારા દિવસોમાં આ મહામારી વધુ વિકરાળ બનવાની આશંકા દર્શાવાઇ રહી છે.
કોરોના વાયરસ (Coronavirus) ને સાર્સ (SARS) થી પણ વધારે ભયાવહ જાહેર કરાયો
ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ મુજબ કોરોનાથી ચીનમાં અત્યાર સુધીમાં 908 લોકોના મોત
આ શહેરમાં 23 જાન્યુઆરીથી જ 1 કરોડ 10 લાખ લોકો પોતાના ઘરોમાં કેદ છે
ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગનું માનીએ તો આવનારા કેટલાક સપ્તાહમાં ચીનના માત્ર એક શહેર વુહાનમાં સંક્રમિત લોકોની વસ્તી વધીને 5 લાખ સુધી પહોંચી શકે છે. વુહાન હુબેઇ પ્રાન્તનું એ શહેર છે જેના પશુ બજારથી કોરોના વાયરસ ફેલાવાની શરૂઆત થઇ. આ શહેરમાં 23 જાન્યુઆરીથી જ 1 કરોડ 10 લાખ લોકો પોતાના ઘરોમાં કેદ છે.
લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિને વુહાનમાં વાયરસના ફેલાવાના પ્રકારો પર અધ્યયન કર્યું. તેમા જાણવા મળ્યું છે કે સંક્રમણની ઝડપ આ પ્રકારે રહી તો ફેબ્રુઆરી પૂર્ણ થવા સુધીમાં શહેરની 5 ટકા વસ્તી એટલે કે 5 લાખથી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ જશે. આ પહેલા શાંઘાઇ સિવિલ અફેયર્સ બ્યૂરોના ડેપ્યુટી હેડે ખુલાસો કર્યો હતો કે કોરોના હવે હવામાં હાજર સુક્ષ્મ કણોથી ચિપકીને એરોસોલ બનાવી રહ્યા છે જેના કારણે તેના ફેલાવાની ઝડપ વધી રહી છે.
બીજી તરફ, ચીનની સાથે-સાથે આખી દુનિયાની હેલ્થ ઓથોરિટીઝ એ જાણવા ઉત્સુક છે કે શું વુહાન સહિત હુબેઇ પ્રાન્તના બીજા શહેરોમાં કોરોના વાયરસને કારણે લોકોમાં થઇ રહેલા ન્યૂમોનિયા પર રોક લાગી રહી છે. હુબેઇ પ્રાન્તની વસ્તી 6 કરોડની છે.
ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના આંકડાઓ પર વિશ્વાસ કરીએ તો રવિવારે 97 વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. અને 3,062 નવા કેસ સામે આવ્યા છે. શનિવારે જે 97 લોકોના મોત થયા છે, તેમાંથી 91 હુબેઇ પ્રાન્તના હતા, જ્યાં આ વાયરસના કારણે સૌથી વધારે લોકો માર્યા ગયા છે.
આ સિવાય બે લોકોના અનહુઇમાં મોત થયા છે. હીલોંગડજિયાંગ, જિઆંગશી, હેનાન અને ગાન્સૂમાં તેનાથી એક-એક વ્યક્તિના જીવ ગયા છે. ચીની આયોગ અનુસાર 31 પ્રાન્તીય સ્તરના ક્ષેત્રોમાં તેનાથી અત્યાર સુધીમાં કુલ 9.8 લોકોના મોત થઇ ચૂક્યા છે અને કુલ 40,171 મામલાઓની પુષ્ટી થઇ છે. રવિવારે 296 દર્દીઓ ગંભીર રૂપે બીમાર થઇ ગયા. 6,484 લોકોની સ્થિતિ ગંભીર બની છે અને 23,589 લોકોના તેનાથી સંક્રમિત હોવાની આશંકા છે. ત્યારે કુલ 3,281 લોકોની સારવાર બાદ હોસ્પિટલથી રજા આપી દેવાઇ છે.
કોરોના વાયરસ વિષાણુઓનો એક મોટો સમૂહ છે, જોકે તેમા 6 વિષાણુ જ એવા છે જે લોકોને સંક્રમિત કરે છે. તેનાથી સંક્રમિત થવા પર સામાન્ય રીતે શરદી થાય છે. પરંતુ 'સીવીયર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ એટલે કે 'સાર્સ' એવો કોરોના વાયરસ છે જેના પ્રકોપથી 2002-2003માં ચીન અને હોંગકોંગમાં લગભગ 650 લોકોના મોત થઇ ગયા હતા.