પૂણેની વેક્સિન બનાવતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની એક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, મળતી માહિતી અનુસાર આ આગને તો કાબોમાં લઈ લેવામાં આવી છે, પરંતુ તાજેતરની માહિતી પ્રમાણે આ આગમાં પાંચ લોકોના મોત થયાની જાણકારી સામે આવી છે.
માહિતી અનુસાર કોરોના વૅક્સિન જ્યાં બને છે તે બિલ્ડિંગ સુરક્ષિત
મહત્વનું છે કે આ અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તપાસના આદેશ આપ્યા છે, નોંધનીય છે કે સીરમ એ જ કંપની છે જે ભારત માટે ઓક્સફોર્ડની કોવિશિલ્ડ વેક્સિન બનાવી રહી છે.
We've just received some distressing updates; upon further investigation we've learnt that there has unfortunately been some loss of life. We're deeply saddened & offer our deepest condolences to family members of the departed: Adar Poonawalla, CEO-owner #SerumInstituteofIndiahttps://t.co/I3hdcD2t6G
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રાપ્ત જાણકારી અનુસાર આગ નિયંત્રણમાં છે અને કોરોના વાયરસની વેક્સિનના યુનિટમાં આગ લાગી નથી. તેમણે કહ્યું મેં કલેકટર સાથે વાત કરી લીધી છે આગ હવે નિયંત્રણમાં છે. આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવશે.
અજીત પવારે કહ્યું : પ્લાન્ટ સુરક્ષિત છે
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારે પણ કહ્યું કે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. હું સતત તંત્રના સંપર્કમાં છું.દેશ અને દુનિયાથી આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હું તે સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે વેક્સિનેશન પ્લાન્ટ સુરક્ષિત છે.
ફાયરબ્રિગેડની 14 ગાડીઓએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો છે. NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી. અદાર પૂનાવાલાએ કહ્યું કે, લોકોને બચાવવા અમારી પ્રાથમિકતા છે. ફસાયેલા લોકોને બહાર કાઢવા પર અમારૂ ફોકસ છે.
The incident of fire at the Serum Institute of India took place at Manjri Plant. It will not affect the production of vaccine: Sources pic.twitter.com/4Qq929xLIs
સિરમ ઇન્સ્ટિટયૂટના બીજા માળે આગ લાગી હતી. ફાયરની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.પૂણેના સિરમ ઇન્સ્ટિટ્યૂના બીજા માળે આગનો બનાવ બન્યો છે. સદનસીબે જ્યાં કોરોના વેક્સિન બને છે તે પ્લાન્ટ સલામત હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ આગ સીરમના નવા પ્લાન્ટમાં લાગી છે.
મહારાષ્ટ્રના પૂણેની મંજરી સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના નવા પ્લાનમાં આગનો બનાવ બન્યો છે. 300 કરોડના ખર્ચે બનેલ આ પ્લાનટ કોરોના વેક્સિન કોવશિલ્ડનું મોટા પાયે પ્રોડ્કશન કરવાની યોજના છે. ગત વર્ષે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધને આ પ્લાન્ટનું ઉધ્ધાટન કર્યું હતું, પરંતુ આ પ્લાન્ટમાં હાલ વેક્સિનનું ઉત્પાદન શરુ કરવામાં આવ્યું નથી.