અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી થયા બાદ હવે નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે. નિર્ણય લખવાને લઇને ગુરુવારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સહિત પાંચ જજોએ મિટિંગ કરી છે.
પક્ષકારોની દલીલો અને નિર્ણયો પર જજોની વચ્ચે થઈ ચર્ચા
17 નવેમ્બર સુધીમાં સુપ્રીમ કોર્ટ જાહેર કરશે નિર્ણય
ઉલ્લેખનીય છે કે ચર્ચા એ વાત પર થઈ કે સમય ઓછો છે અને જવાબદારી મોટી છે.પરંતુ દરેક વિષયોને ધ્યાનમાં રાખીને સમયસર નિર્ણય કેવી રીતે આપી શકાય તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં એ વાત પર પણ ચર્ચા થઈ હતી કે અલ્હાબાદ કોર્ટમાં નિર્ણયને કઈ રીતે રજૂ કરવામાં આવે. જજોના કેસમાં પક્ષકારોના દાવા અને નિર્ણયને લઈને પોતાના દ્રષ્ટિકોણને લઈને ચર્ચા પણ કરી છે.
17 નવેમ્બર સુધી આવી શકે છે નિર્ણય
બેઠકમાં મધ્યસ્થતા સમિતિના રિપોર્ટ અને નિર્ણયની રૂપરેખાની પણ ચર્ચા કરી. ઉલ્લેખનીય છે કે સમિતિની સીલબંધ રિપોર્ટ ગઈકાલે પાંચ જજને મળી છે. મધ્યસ્થતા સમિતિએ પોતાના રિપોર્ટમાં કેટલાક પક્ષકારોની સાથે સમજૂતીનો પ્રસ્તાવ મૂક્યો છે. જ્યારે જજની મીટિંગમાં અનેક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આજની મીટિંગથી એક વાત નક્કી છે કે નિર્ણય 17 નવેમ્બર સુધી આવશે. સૂત્રોએ એ પણ સંકેત આપ્યા છે કે નિર્ણય 10-15 નવેમ્બરની વચ્ચે આવી શકે છે.