ચીનની પીપલ્સ લિબરેશન આર્મી(PLA)એ શનિવારે અરુણાચલ પ્રદેશના પાંચ લોકોને ભારતના હવાલે કર્યા જે શનિવારે ગુમ થયા હતા. શુક્રવારે આ મામલે કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ પણ ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે “ચીની પીએલએ એ અરુણાચલ પ્રદેશના યુવાનોને અમારી તરફેણમાં ભારતીય સૈન્ય સોંપવાની પુષ્ટિ કરી છે.
ચીન દ્વારા ભારતીયોના આપહરણનો મામલો
ચીને 5 અરુણાચલના યુવાનોને પરત સોંપ્યા
સરહદ પાસેના ગામમાંથી ચીને યુવકોની કર્યુ હતુ અપહરણ
ઉલ્લેખનીય છે કે, 4 સપ્ટેમ્બરના રોજ, 5 ભારતીયોએ અરુણાચલ પ્રદેશના ઉચ્ચ સુબાનસિરી જિલ્લામાંથી આકસ્મિક રીતે એલએસીને પાર કરીને ચીન તરફ ચાલ્યા ગયા હતા. આ યુવાનોના નામ છે તોચ સિંગકમ, પ્રસાદ રિંગલિંગ, ડોંગટુ ઇબિયા, તનુ બાકર અને નગારુ ડિરી છે.
સ્થાનિક અખબારે આ ઘટના અંગેના સમચાર કર્યા હતા પ્રસિદ્ધ
આપને જણાવી દઇએ કે ગયા શનિવારે એક અગ્રણી સ્થાનિક અખબારે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે નાચો શહેર નજીકના ગામ સાથે જોડાયેલા ટાગિન સમુદાયના 5 લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે.
— PRO Defence Tezpur (Assam/Arunachal Pradesh) (@ProAssam) September 11, 2020
અખબારે વધુમાં લખ્યું હતું કે અપહરણના આ આરોપ સમયે તેને શિકાર માટે જંગલમાં ગયા હતા. અહેવાલમાં એક સંબંધીનો હવાલો આપતા કહેવામાં આવ્યું. જેમણે દાવો કર્યો હતો કે તે લોકો ચીની સેના દ્વારા અપહરણ કરાયા છે. આ દાવો સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો જે દૃષ્ટિએ વાયરલ થયો હતો.
ભારતીય સેનાએ આપ્યું નિવેદન
ભારતીય સેનાએ એક નિવેદન જાહેર કરતા જણાવ્યું હતું છે કે તમામ ઔપચારિકતાઓ પૂરી કર્યા પછી સેનાએ કિબિતુમાં તમામ 5 લોકો મેળવ્યા હતા. આ બધાને કોરોના પ્રોટોકોલ અનુસાર 14 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવશે, ત્યારબાદ તેઓને તેમના પરિવારોને સોંપવામાં આવશે. સેનાએ કહ્યું છે કે તેના મૂલ્યો અનુસાર તે સતત પૂર્વોત્તરના લોકોની સલામતી માટે કામ કરી રહ્યો હતો.