Benefits Of Kiwi: કીવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી કબજીયાતથી છુટકારો મળે છે. તે પેટને સારી રીતે સાફ પણ કરે છે. તેના સેવનથી બેડ કોલેસ્ટ્રોલ ઓછુ થઈ જાય છે. કીવીના સેવનથી બીજા કયા ફાયદા થાય છે આવો જાણીએ.
કીવીમાં ભરપૂર હોય છે વિટામિન સી
જેનાથી ઈમ્યુનિટી થાય છે બૂસ્ટ
કીવીના સેવનથી કોલેસ્ટ્રોલ રહેશે કંટ્રોલમાં
શરીરને સ્વસ્થ્ય અને તંદુરસ્ત રાખવા માટે પોષક તત્વો અને વિટામિન્સની જરૂર હોય છે. ફળો અને શાકભાજીના સેવનથી સ્વાસ્થ્ય માટે જરૂરી પોષક તત્વો અને વિટામિન મળી રહે છે. કીવી પણ એક એવું જ ફળ છે. જેના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. તેને સુપર ફૂડ્સની કેટેગરીમાં રાખવામાં આવે છે.
તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા છે. કીવીનો ઉપયોગ બ્લડ પ્રેશર અને આંખોના રોગો માટે ફાયદાકારક છે. આ વિટામિન સી, વિટામિન કે, વિટામિન ઈ અને પોટેશિયમનો સારો સ્ત્રોત છે. આવો જાણીએ કેવીથી સ્વાસ્થ્યને થતા ફાયદાઓ વિશે.
સ્કિન માટે ફાયદાકારક
એક રિપોર્ટ અનુસાર કીવીનો ઉપયોગ સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. જેના કારણે કીવી ત્વચા પર થતા દાગ, રેશીઝ અને સોજાને ઓછા કરી ત્વચાને સાફ કરે છે. તેના સેવનથી ત્વચામાં નિખાર આવે છે. આ ત્વચાને હેલ્ધી રાખે છે.
ઈમ્યૂનિટી કરે બૂસ્ટ
કીવીમાં જરૂરી માત્રામાં વિટામિન સી રહેલું છે. આ ફળ વિટામિન-C અને એન્ટીઓક્સીડેન્ટનો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે. સાથે જ કીવી શરીરમાં ઓક્સીડેટિવ સ્ટ્રેસને ઓછુ કરવાનું કામ કરી ત્વચાને સ્વસ્થ્ય અને જવાન બનાવે છે.
કબજીયાતને કરે છે દૂર
કીવી કબજીયાતને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે. તેના સેવનથી જુનામાં જુની કબજીયાત પણ ઠીક થઈ જાય છે. આ ગેસ, બ્લોટિંગ, એસિડિટી, અપચા જેવી સમસ્યાને પણ દૂર કરે છે. જો તમે પણ સતત કબજીયાતની બિમારીથી પરેશાન છો તો કીવીનું ફળ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ પેટ સાફ કરવામાં પણ મદદગાર સાબિત થાય છે.
કોલેસ્ટ્રોલને કરો કંટ્રોલ
કીવી ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. તેનું દરરોજ સેવન કરવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલનું પ્રમાણ ઓછુ થઈ જાય છે. આ બોડીમાં એચડીએલ એટલે કે ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. તેના સેવનથી હાર્ટ હેલ્ધી રહે છે. સાથે જ હાર્ટ સંબંધી સમસ્યાઓ થવાનો ખતરો પણ ઓછો રહે છે.
બ્લડ ક્લોટિંગને રોકે છે
કીવીના સેવનથી શરીરમાં લોહીની ગાંઠો જામવાની સમસ્યા પણ નથી થતી. તેમાં એન્ટીથ્રોમ્બોટિક એટલે કે લોહીની ગાંઠો ન જામના દેવાના ગુણ રહેલા છે. તેના કારણે સ્ટ્રોક, કિડની અને હાર્ટ એટેક સંબંધી મુશ્કેલીનો ખતરો પણ ઓછો રહે છે.
Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.