સરગવાને અનેક ઓષધિય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. આ હાડકાને મજબૂત કરવાની સાથે સાથે સ્વાસ્થ્યના અનેક લાભ પણ આપે છે. તો જાણો કયા દર્દમાં લાભદાયી છે સરગવાનો ઉપયોગ.
સરગવો છે ઔષધ સમાન
અનેક રોગમાં છે લાભદાયી
આ તત્વોથી ભરપૂર છે સરગવો
સરગવામાં છે આ તત્વો
સરગવામાં અનેક ઔષધિય ગુણો હોય છે. આ શરીરની ઈમ્યુનિટી વધારવામા મદદ કરે છે અને સાથે જ સંક્રમણથી પણ રાહત આપે છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, જસ્તા, મેગ્નેશિયમ, આયરન અને કોપર પણ પુષ્કળ પ્રમાણમાં હોવાથઈ તે ખૂબ જ લાભદાયી છે. આ કારણ છે કે તેના પાન, ફૂલ, ફળ, બીજ, જડને પણ દવાના રૂપમાં ઉપયોગમાં લેવાય છે.
લોહીને સાફ કરે છે
એક રિપોર્ટ અનુસાર સરગવાના પાન અને ફળમાં લોહીને સાફ કરવાની તાકાત હોય છે.સાથે તે એક શક્તિશાળી એન્ટીબાયોટિકના રૂપમાં પણ કામ કરે છે. તેનો સૂપ કે જ્યૂસનો ઉપયોગ કરવાથી સ્કીન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે.
હાડકાંને મજબૂત કરે છે
કેલ્શિયમ, આયર્ન અને અન્ય વિટામીનથી ભરપૂર સરગવો હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે. તેના રસના નિયમિત સેવનથી દૂધની સાથે લેવાથી હાડકા પણ મજબૂત કરે છે. પરંતુ શક્ય હોય તો ડોક્ટરની સલાહ અનુસાર તેનું સેવન કરવું.
બ્લડ શુગર લેવલને સારું કરે છે
સરગવાની ફળીમાં અનેક ઔષધીય ગુણો હોય છે. સાથે તેના પાન શરીરમાં રક્ત શર્કરાને પણ ઘટાડે છે. આ સિવાય ડાયાબિટિસને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે.
સંક્રમણથી બચાવે છે
સરગવાની સ્ટીક અને પાન તથા ફૂલમાં જીવાણુરોધી તત્વો હોય છે. જે ગળા અને ત્વચા સંબંધી સંક્રમણોને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં વિટામીન સી પણ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે શરીરની પ્રતિરક્ષાને વધારે છે અને શરીરના હાનિકારક કણોને ખતમ કરવામાં મદદ કરે છે.
વજન ઘટાડવામાં કરે છે મદદ
સારા સ્વાસ્થ્ય માટે પણ તેમાં અનેક જરૂરી તત્વો હોય છે. તેમાં પૂરતું વિટામીન બી મળે છે. તે પાચનક્રિયાને સારી કરે છે અને સાથે તેને ખાવાથી પેટમાં ફેટ નહીં બને. આ સિવાય તેનાથી એનર્જી મળે છે. ફાઈબર હોવાના કારણે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ કરે છે.