એવું કહેવાય છે કે, જેનું પેટ સાફ તેને રોગો કરે માફ. સ્વસ્થ જીવન જીવવા પાચનતંત્ર સ્વસ્થ હોવું જરૂરી છે. જેથી આજે અમે એવા પાંચ ફૂડ જણાવીશું, જે પાચન માટે બેસ્ટ છે.
જીવનભર પાચનતંત્ર સ્વસ્થ રાખવા ખાઓ આ ખોરાક
હેલ્ધી જીવન જીવવા પેટ હેલ્ધી રાખવું જરૂરી છે
આ સામાન્ય ફૂડ્સ પેટ માટે છે વરદાન
જો તમે તમારી ડાયેટમાં વધુ તેલ મસાલાથી બનેલી વસ્તુઓ ખાઓ છો ખાસ કરીને ઉનાળામાં તો તેનાથી પેટ જ ખરાબ નથી થતું પરંતુ વજન પણ વધે છે. રાતે તળેલી વસ્તુ ખાવાથી જલ્દી પચતી નથી અને તેના કારણે પેટ ખરાબ થાય છે. ગેસ-અપચા જેવી સમસ્યા થાય છે. આ માટે ડાયટમાં હેલ્ધી વસ્તુઓને સામેલ કરો. જે સરળતાથી પચી જાય. આજે અમે તમને એવા ફૂડ વિશે જણાવીશું, જે તમારા પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
કેળા
કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કેળામાં રહેલાં કાર્બોહાઈડ્રેટ શરીરમાં લોહી વધારવાની સાથે શરીરની તાકાતમાં પણ વધારો કરે છે. કેળામાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે જે પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
બીટ
બીટને આયર્નનો સારો સ્રોત માનવામાં આવે છે. પાઈલ્સવાળા દર્દીઓ માટે બીટ ખૂબ જ ફાયદાકારક છે. બીટનો રસ કમળો, હેપેટાઈટિસ અને ઉલ્ટીના ઉપચારમાં અસરકારક છે. એટલું જ નહીં, તેના સેવનથી પેટને સ્વસ્થ રાખી શકાય છે.
દળિયા
દળિયામાં ફાઈબર, મિનરલ્સ અને વિટામિન ભરપૂર હોય છે. ડાયટમાં ઓટમીલને સામેલ કરવાથી પેટને સ્વસ્થ રાખી શકાય છે. સવારના નાસ્તામાં ઓટમીલ ખાવાથી વજન અને કબજિયાતની સમસ્યાથી મુક્તિ મળી શકે છે.
સફરજન
સફરજન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. સફરજનમાં પોટેશિયમ, વિટામિન એ, ફોસ્ફરસ, વિટામિન સી અને ઘણાં પોષક તત્વો મળી આવે છે, જે પેટની સમસ્યાઓથી રાહત આપવામાં મદદ કરે છે.
દહીં
જો તમને દહીં ખાવાનું પસંદ હોય તો તે તમારા પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. દહીંમાં અજમો નાખીને ખાવાથી કબજિયાત દૂર થઈ શકે છે. દહીં પેટને ઠંડુ રાખે છે, જેનાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે. ઉનાળામાં દહીં કે છાશનું રોજ બપોરે જમવા સાથે સેવન કરવું, તેનાથી પેટના રોગો દૂર રહે છે અને પાચનતંત્ર દુરસ્ત રહે છે.