આપણે કેટલીક વાર સાંભળ્યુ હશે કે, બદામ ખાવાથી યાદશક્તિ વધે છે પરંતુ તમને ખબર છે કે તમે જાણતા અજાણતા એવા પદાર્થોનું સેવન કરો છો જેનાથી તમારી યાદશક્તિ ઓછી થાય છે. તમારી યાદશક્તિ વધારવાની જગ્યાએ ઘટાડી દેતી હોય છે. ચાલો આપણે જાણીએ એ 5 ચીજ વિષે..
આ પાંચ ચીજોનુ રાખો ધ્યાન
મગજ માટે અનહેલ્ધી ચીજો
યાદશક્તિ ખરાબ થવાના કારણ
આમ તો મગજથી જોડાયેલા રોગ જેમકે બ્રેઇન ટ્યુમર, મજગમાં વાગવું, તણાવ, અપર્યાપ્ત ઉંઘ, જેવી સમસ્યાઓ યાદશક્તિને કમજોર બનાવે છે. આ સિવાય કેટલાક ખાદ્ય પદાર્થો તમારી યાદશક્તિને કમજોર બનાવી શકે છે.
ચર્બી અને કોલસ્ટ્રોલવાળા પદાર્થો
એક શોધ અનુસાર જે ખાદ્યપદાર્થોમાં કોલસ્ટ્રોલ અને સૈચ્યુરેટેડ ફેટની માત્રા વધારે હોય છે. જે ખોરાકમાં ફેટની માત્રા વધારે હોય તેવા ખોરાક મગજ પર ખરાબ પ્રભાવ પાડે છે. શરીરના તંતુઓ પર સોજા પેદા કરે છે જેના લીધે વ્યક્તિની યાદશક્તિ કમજોર થવા લાગે છે. માટે આ પ્રકારના ખાદ્યપદાર્થનુ સેવન ઓછુ કરવું જોઇએ.
ઘી અને પનીર
પનીર, ઘી અને દહીમાં રહેલુ કોલસ્ટ્રોલ મગજ માટે સારુ ગણવામાં નથી આવતું. તમને થતુ હશે કે દહી તો હેલ્થ માટે ફાયદાકારક છે પરંતુ તેમા રહેલા કેટલાક તત્વો મગજ માટે નુકસાનકારક છે. માટે દહીનો ઉપયોગ મઠ્ઠો તેમજ છાશ બનાવીને કરવો હિતાવહ છે.
દારૂ
દારૂ માત્ર વ્યક્તિના લિવરને જ નહી માણસની યાદશક્તિને પણ કમજોર બનાવે છે. વધારે મદિરાનું સેવન કરવાને કારણે પણ વિચારવાની શક્તિ ઘટી જાય છે.
સોયા
સોયામાંથી પ્રોટીન ભરપૂર માત્રામાં મળે છે પરંતુ શુ તમને ખબર છે કે તેનુ વધારે માત્રામાં સેવન કરવાથી મગજ સબંધિત રોગ પણ થઇ શકે છે.
ગળ્યા પદાર્થ
વધારે પડતા મીઠા ખોરાક જેમકે ખાંડથી બનેલી મિઠાઇઓ વગેરેથી મગજ પર ખરાબ અસર પડે છે. તેમજ શરીરના બીજા રોગ માટે પણ ખાંડ જવાબદાર છે.