નર્મદાના માંડણ ગામે કરજણ નદીમાં પાંચ લોકો ડૂબ્યા. જેમાંથી ગત રોજ મોડી સાંજે એક મહિલાનો મૃતદેહ પણ મળી આવ્યો છે.
નર્મદાના માંડણ ગામે કરજણ નદીમાં પાંચ લોકો ડૂબ્યા
એક જ પરિવારના પાંચ લોકો નદી કિનારે ફરવા ગયા હતા
મોડી સાંજે મળી આવ્યો એક મહિલાનો મૃતદેહ
નર્મદાના માંડણ ગામે કરજણ નદીમાં પાંચ લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ભરૂચ જિલ્લાના એક જ પરિવારના 5 લોકોના મોત નિપજ્યાં છે. જણાવી દઇએ કે, રવિવારે આ પરિવાર માંડણનાં નદી કિનારે ફરવા આવ્યું હતું. જેમાંથી ગત રોજ મોડી સાંજે એક મહિલાનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યોના મૃતદેહ આજે મળી આવ્યાં.
વડોદરા SDRFએ અન્ય 4 સભ્યોના મૃતદેહ બહાર કાઢ્યા. રવિવાર હોવાથી પરિવાર માંડણનાં નદીકિનારે ફરવા આવ્યું હતું. દરમ્યાન 8 વર્ષનો દિકરો નદીમાં ડૂબતા તેનો પરિવાર તેને બચાવવા નદીમાં ઉતર્યો હતો. ત્યારે પરિવારના પાંચેય સભ્યોના મૃતદેહ નદીમાંથી SDRFએ મળી આવ્યા છે.
રજાના દિવસે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ફરવા-ન્હાવા આવતા હોય છે
વધુમાં તમને જણાવી દઇએ કે, રવિવારની રજા હોવાથી ખૂબ મોટી સંખ્યામાં લોકો માંડણ પાસેની નર્મદા નદી નજીક ફરવા આવતા હોય છે. એમાં ભરૂચ જિલ્લાના જોલવા ગામે રહેતો પરમાર પરિવાર પણ માંડણ ગામે કરજણ નદીમાં ન્હાવા માટે ગયો હતો. દરમ્યાન એક બાદ એક પરિવારના પાંચેય સભ્યો નદીમાં ડૂબવા લાગ્યાં.
નર્મદા : માંડણ ગામે કરજણ નદીમાં ભરૂચ જિલ્લાના એક જ પરિવારના 5 લોકો ડૂબ્યા, મોડી સાંજે એક મહિલાનો મૃતદેહ મળ્યો, પરિવારના અન્ય ચાર સભ્યોની શોધખોળ માટે NDRFની ટીમ બોલાવાઇ#Narmada#NDRF
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 30, 2022
પરિવારના અન્ય લોકોની શોધખોળ શરૂ
જો કે બાદમાં સ્થાનિક લોકોએ નદી કિનારે 2 બાઈક અને ચપ્પલ પડેલાં જોતા કોઇ ડૂબ્યા હોવાનું અનુમાન લગાવ્યું. જ્યાર બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. જેમાં જાણવા મળ્યું કે, પરિવારના જનકસિહ બલવંતસિહ પરમાર (ઉ.વ 35), જીગનીશાબેન જનકસિંહ પરમાર (ઉ.વ 32), વિરપાલસિહ પરબત સિહ ચૌહાણ (ઉ.વ 27), ખુશી વિરપાલસિહ ચૌહાણ (ઉ.વ 24) અને પૂર્વરાજ જનકસિહ પરમાર (ઉ.વ 8) પાણીમાં ડૂબી ગયા છે. જો કે, રેસ્ક્યુ કરાતા ગત મોડી સાંજે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલમાં NDRFની ટીમ દ્વારા નદીમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ હોવાથી અન્ય મૃતદેહો પણ મળી આવે તેવી આશા સેવાઇ રહી છે.