બુધવારે ગણેશજીની પૂજામાં દુર્વા ચઢાવવાથી ભક્તોને ભગવાનના આર્શિવાદ મળે છે.
બુધવારે અચૂક કરો આ ઉપાયો
દુર્વાથી કરો ગણેશજીની પૂજા
મળશે ગણેશજીની કૃપા અને સમૃદ્ધિ
હિંદુ ધર્મમાં બુધવારને ગણેશજીનો વાર માનવામાં આવે છે. આ માટે બુધવારે ગણેશજીને ખુશ કરવા તેમની આરાધના કરાય છે. આ દિવસે પૂજાથી ભક્તોના સંકટ દૂર થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે. ગણપતિજીને દેવોમાં સર્વપ્રથમ માનવામાં આવ છે અને સૌથી પહેલા તેમને માનવામાં આવે છે. તો તમે પણ આજે કરી લો આ ખાસ ઉપાયો અને થશે તમારી મનોકામના પૂરી.
પૂજામાં ગણેશજીને ચઢાવો દુર્વા
ગણેશજીને દુર્વા પ્રિય છે. બુધવારે ગણેશજીની પૂજામાં દુર્વા અચૂક ચઢાવો. આમ કરવાથી ગણેશ ભગવાનના આર્શિવાદ ભક્તોને મળે છે.
મોદકનો ચઢાવો ભોગ
ગણેશજીને ભોગમાં મોદક અચૂક ચઢાવો. મોદક ગણેશને પ્રિય છે. આ ભોગ ચઢાવવાથી ભક્તોના દુઃખ દૂર થશે.
ગણેશજીને ચઢાવો લાલ ફૂલ
ભગવાન ગણેશને લાલ ફૂલ ચઢાવો. લાલ ફૂલ ચઢાવવું શક્ય ન હોય તો તમે કોઈ પણ ફૂલ ચઢાવી શકો છઓ. આ સાથે ધ્યાન રાખો કે ગણેશજીની પૂજામાં તુલસીનો ઉપયોગ ક્યારેય ન કરો.
ગણેશજીને પ્રિય છે લાલ સિંદુર
ગણેશજીને લાલ સિંદુર પ્રિય છે. ભગવાન ગણેશને સ્ન્નાન કરાવ્યા બાદ તેમને લાલ સિંદુર ચઢાવો. સાથે તમે કપાળમાં પર તેનું તિલક લગાવો, આમ કરવાથી તમે ગણેશજીના આર્શિવાદ મેળવી શકો છો અને સફળતા મેળવી શકો છો.
શમીથી ગણેશજી થાય છે ખુશ
શાસ્ત્રોમાં કહેવાયું છે કે શમીના છોડથી ગણેશજીની પૂજા કરવાથી શનિ ભગવાન પણ પ્રસન્ન થાય છે.માનવામાં આવે છે કે શ્રી રામને રાવણ પર વિજય મેળવવા માટે શમીની પૂજા કરી હતી. શમી ગણેશજીને પ્રસન્ન કરવા માટે પૂરતું છે. શમીના પાન નિયમિત ગણેશજીને અર્પણ કરવાથી પણ સમૃદ્ધિ આવે છે.