આજે પંડિત જવાહરલાલ નેહરૂની જયંતિ છે. દેશના પહેલા વડાપ્રધાન હોવાની સાથે જ પંડિત જવાહરલાલ નેહરૂ આધુનિક ભારતના ઘડવૈયા પણ કહેવામાં આવે છે. દેશની આઝાદીથી લઇને આઝાદ ભારતને સમૃદ્ધ બનાવવા સુધીમાં પંડિત નેહરુનું અહમ યોગદાન રહ્યું છે. આઝાદી પહેલા પંડિત નેહરૂએ સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
પંડિત જવાહરલાલ નેહરૂને આધુનિક ભારતના ઘડવૈયા પણ કહેવામાં આવે છે
આઝાદી પહેલા પંડિત નેહરૂએ સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી
ભારતને સમૃદ્ધ બનાવવામાં પંડિત જવાહરલાલ નેહરુનું અહમ યોગદાન
આઝાદીની લડાઇને કારણે તેમને 9 વાર જેલમાં જવુ પડ્યું હતું. જ્યારે ભારતના આઝાદ થયા બાદ પંડિત નેહરૂએ શિક્ષા, સામાજિક સુધાર, આર્થિક ક્ષેત્ર, રાષ્ટ્રીય સુરક્ષા અને ઔદ્યોગિકરણ સહિત ઘણા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કાર્યો કર્યા. પંડિત જવાહરલાલ નેહરૂ પોતાના વિચારો અને પોતાના ઉલ્લેખનીય કાર્યોને કારણે મહાન બન્યા.
આઝાદી બાદ નેહરૂએ દેશની તસવીર બદલવા માટે ઘણા કડક નિર્ણય લીધા. એ દરમિયાન તેમના નિર્ણયોની નિંદા કરાઇ. પરંતુ તેમના નિર્ણયોને કારણે જ દેશ આર્થિક મોરચે મજબુત બની ગયો. અહીં જાણીએ નહેરૂના એ નિર્ણયો વિશે જેણે, ભારતની નવી તસવીર બનાવી.
જ્યારે નેહરૂએ ભારતને આપ્યા 'નવીન મંદિર'
પંડિત જવાહરલાલ નેહરૂએ દેશને આધુનિક બનવવા માટે જે કામ કર્યા તેને ભૂલાવી ન શકાય. આ જ કારણ છે કે તેમને 'આધુનિક ભારતના ઘડવૈયા' કહેવામાં આવે છે. તેમણે શિક્ષાથી લઇને ઉદ્યોગ જગતને વધુ સારા બનાવવા માટે ઘણા કામ કર્યા. તેમમે IIT, IIM, યુનિવર્સિટીઓની સ્થાપના કરી. સાથે જ ઉદ્યોગ ધંધાઓની પણ શરૂઆત કરી. તેમણે ભાખરા-નાંગલ બંધ, રિહંદ બંધ અને બોકારો સ્ટીલ કારખાનાની સ્થાપના કરી હતી. તે આ ઉદ્યોગોને દેશના આધુનિક મંદિર માનતા હતા.
પંચવર્ષીય યોજનાઓની શરૂઆત
જવાહરલાલ નેહરુએ પોતાની દૂરદર્ષ્ટિ અને સમજથી જે પંચવર્ષીય યોજનાઓ બનાવી. તેનાથી દેશને આજે પણ લાભ મળી રહ્યો છે. પહેલી પંચવર્ષીય યોજના 1951-56 સુધી લાગૂ થઇ. શરૂઆતમાં લોકોને આ યોજનાની સફળતાને લઇને શંકા હતી. પરંતુ 1956માં પહેલી પંચવર્ષીય યોજનાઓના પરિણામોએ આ આશંકાઓ દૂર કરી દીધી. આ યોજનાઓ દરમિયાન વિકાસદર 3.6 ટકા નોંધાયો. આ ઉપરાંત પ્રતિ વ્યક્તિ આવક સહિત અન્ય ક્ષેત્રોમાં પણ વધારો થયો. પહેલી પંચવર્ષીય યોજના કૃષિ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી. બીજી (1956-61)માં ઔદ્યોગિક ક્ષેત્રો પર ધ્યાન આપવામાં આવ્યું.
મજબૂત લોકતંત્રમાં નેહરૂની આસ્થા
1952માં દેશમાં પહેલીવાર સામાન્ય ચૂંટણી થઇ. નેહરૂ લોકતંત્રમાં વિશ્વાસ રાખતા હતા. સામાન્ય ચૂંટણી 1957 અને 1962માં સતત જીત બાદ પણ તેમણે વિપક્ષને પૂર્ણ સન્માન આપ્યું. સંસદમાં નેહરૂ વિપક્ષના નેતાઓની વાત ધ્યાનથી સાંભળતા હતા. 1963માં પોતાની પાર્ટીના સભ્યોના વિરોધ છતા તેમણે પોતાની સરકારના વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવાને મંજુરી આપી હતી. અટલજીએ પંડિત નેહરૂને કહ્યું હતું કે તેમની અંદર ચર્ચિલ પણ છે અને ચેમ્બરલિન પણ છે. પરંતુ નેહરૂ તેમની વાતનું ખોટુ નહોતા લગાડતા. એ જ દિવસે સાંજે બંનેની મુલાકાત થઇ તો નેહરૂએ અટલજીની પ્રંશસા કરી હતી.
ભારતને હમેંશા માટે અખંડ બનાવી દીધુ
જ્યારે દક્ષિણ ભારતમાં અલગ દેશની માંગ ઉઠી ત્યારે નેહરૂએ જે નિર્ણય લીધો, તેણે દેશની એકતા અને અખંડતાને વધુ મજબુત બનાવી દીધી. 'દ્રવિડ કડગમ' પહેલી બિન રાજનૈતિક પાર્ટી હતી, જેણે દ્રવિડનાડુ (દ્રવિડોનો દેશ) બનાવવાની માંગ કરી. દ્રવિડનાડુના માટે આંદોલન શરૂ થયા. પરંતુ નેહરુએ દેશની અખંડતા બનાવી રાખવ માટે એક મોટુ પગલુ ઉઠાવ્યુ. નેહરૂની આગેવાનીમાં કેબિનેટે 5 ઓક્ટોબર 1963માં બંધારણમાં 16મો સંશોધન રજૂ કર્યો. અને આ સાથે જ અલગાવવાદીઓની કમર તૂટી ગઇ.
આ સંશોધનના માધ્યમથી દેશની સંપ્રભુતા અને અખંડતાના હિતમાં મૂળ અધિકારો પર કેટલાક પ્રતિબંધ લગાવવાની જોગવાઇ કરવામાં આવી. સાથે જ ત્રીજી અનુસુચીમાં પણ પરિવર્તન કરી શપથ ગ્રહણના અંતર્ગત 'હું ભારની સ્વતંત્રતા અને અખંડતાને બનાવી રાખીશ' જોડવામાં આવ્યું. બંધારણના આ સંશોધન બાદ દ્રવિડ કડગમને દ્રવિડનાડુની માંગને હંમેશા માટે ભૂલવી પડી.
આજે પણ કાયમ નેહરૂની વિદેશ નીતિ
નેહરુ ઇચ્છતા હતા કે ભારત કોઇપણ દેશના દબાણમાં ન આવે અને વિશ્વમાં તેની સ્વતંત્ર ઓળખ બને. જવાહરલાલ નેહરુની વિદેશ નીતિનો મહત્વપૂર્ણ હિસ્સો હતો તેમના પંચશીલનો સિદ્ધાતં. જેમા રાષ્ટ્રીય સંપ્રભુતા બનાવી રાખવુ અને બીજા રાષ્ટ્રના મામલામાં દખલ ન આપવી જેવા પાંચ મહત્વપૂર્ણ શાંતિ-સિદ્ધાંત સામેલ હતા. નેહરૂએ ગુટનિરપેક્ષતાને પ્રોત્સાહન આપ્યું. ગુટનિરપેક્ષતાનો અર્થ છે કે ભારત કોઇપણ ગુટની નીતિઓનું સમર્થન નહીં કરે અને પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ યથાવત રાખશે.