અમદાવાદના ધંધુકા-બગોદરા રોડ પર હરિપુરા પાટિયા પાસે ટ્રક અને કાર સામ સામે ધડાકાભેર અથડાતાં 2 બાળકો સહિત એક જ પરિવારના 5 સભ્યોના મોત
ધંધુકા-બગોદરા પર અકસ્માતમાં 5ના મૃત્યુ
2 બાળકો સહિત એક જ પરિવારના 5 સભ્યોના મૃત્યુ
ટ્રક અને કાર સામ સામે ધડાકાભેર અથડાતાં દુર્ઘટના
ગુજરાતમાં રોડના હાઇવે પર જાણે યમરાજ ફરી રહ્યા હોય તેમ દિવસને દિવસે અકસ્માતની ઘટનામાં મોટો વધારો થયો છે. ત્યારે અમદાવાદના ધંધુકા-બગોદરા રોડ પર ભયવાહ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં એક પરિવારના 5 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે.
બનાવની પ્રાથમિક માહિતી મુજબ ધંધુકા-બગોદરા હાઈવે પર હરિપુરા પાટિયા પાસે ટ્રક અને કાર સામ સામે ધડાકાભેર અથડાયા હતા. અકસ્માત એટલો ભયાવહ હતો કે કારના કુરચે કુરચા ઉડી ગયા હતા. અને સવાર 2 બાળકો સહિત એક જ પરિવારના 5 સભ્યોના કરુણ મોત નિપજ્યાં છે.અકસ્માત થયેલી મારુતિ સુઝીકી ડિઝાયર કારનો નંબર GJ01RD2404 છે. મોતને ભેટેલા તમામ મૃતકો ધંધુકા તાલુકાના ઝિઝર ગામના વતની હોવાનું સામે આવ્યું છે.
બનાવની જાણ થતા જ આસપાસના રાહદારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જે બાદ પહેલા પોલીસને જાણ કરી 108ને પણ ઈમરજન્સી કોલ આપવામાં આવ્યો હતો. પણ ઘટના એટલી ભયંકર હતી કે કાર અને ટ્રક સામ સામે ટકરાતાં કારનું બોનેટ ટ્રકની અંદર ઘૂસી ગયું હતું. પોલીસે હાલ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી રહી છે.