24 કાયદાઓ અને સુધારા વિધેયક લાવવામાં આવશે. કોરોના સંક્રમણના સમયમાં વહીવટી તંત્ર કામે લાગેલું છે. અધિકારીઓને વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી છે. અધ્યક્ષને તારાંકિત પ્રશ્નો ન લેવા આવે તેવી વિનંતી કરવામાં આવી છે.
મીડિયા કર્મીઓના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે
સામાજિક અંતર સાથે વિધાનસભા સત્ર મળશે. જેને લઇને અધિકારી અને પ્રેક્ષક ગેલેરીમાં પણ ધારાસભ્યોને બેસાડવામાં આવશે. સાથે જ તમામ ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. વિધાનસભામાં હાજર રહેનાર તમામના ફરજીયાત ટેસ્ટ થશે. મીડિયા કર્મીઓના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.