એક તરફ જ્યાં કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે કે કોરોના વાયરસ (Coronavirus) નું સંક્રમણ ન ફેલાય, ત્યારે નાગપુરમાં આ વાયરસથી સંક્રમિત પાંચ શંકાસ્પદ વ્યક્તિ હોસ્પિટલથી ભાગી છુટ્યા છે. નાગપુરમાં પોલીસે એએનઆઇને જણાવ્યું કે તેમાંથી એકની રિપોર્ટ નેગેટિવ આવી છે જ્યારે ચારની રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
નાગપુરમાં હોસ્પિટલથી ભાગી છુટેલા 5 દર્દીઓમાંથી એકની રિપોર્ટ નેગેટિવ આવી છે
ઓસ્ટ્રેલિયાથી પરત ફરેલા બીમાર વ્યક્તિના સંપર્કમાં આ તમામ આવી ગયા હતા
જોકે, રાહતની વાત એ છે કે પોલીસે આ તમામને પકડી લીધા છે અને તેઓને જલ્દી જ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવશે. આ મામલાઓમાં નાગપુર જિલ્લાધિકારી મીડિયા સાથે પણ વાતચીત કરશે. પ્રાપ્ત જાણકારી મુજબ તમામ દર્દીઓ પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. આજે તેઓની મેડિકલ રિપોર્ટ આવવાની છે.
ઓસ્ટ્રેલિયાથી પરત ફરેલા બીમાર વ્યક્તિના સંપર્કમાં આ તમામ આવી ગયા હતા. તેથી તમામને શંકાસ્પદ રીતે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને તેમની તપાસ ચાલી રહી હતી. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં વધુ બે લોકોને કોરોના વાયરસથી સંક્રમતિ જાહેર થયા બાદ રાજ્યમાં તેની ઝપેટમાં આવનાર લોકોની સંખ્યા 19 પર પહોંચી ગઇ છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ આમ જાણકારી આપી છે. તેઓે જણાવ્યું કે નવા બે કેસ મુંબઇ અને અહમદનગરથી સામે આવ્યા છે.
ટોપેએ અહીં રાજ્ય વિધાનસભાની બહાર પત્રકારોને કહ્યું, શુક્રવારે મુંબઇ અને અહમદનગરથી એક-એક મામલાઓ સામે આવ્યા બાદ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 19 થઇ ગઇ છે. રાજ્યમાં કોરોના વાયરસના મામલાઓમાંથી 10 પૂણેમાં, 4 મુંબઇ, 3 નાગપુર અને એક-એક ઠાણે અને અહમદનગરથી છે.