ગુજરાતમાં કોરોનાના 5 કેસ પોઝિટિવ આવ્યા છે જેમાંથી અમદાવાદના 2 કેસ હોવાને કારણે મનપા દ્વારા કેટલીક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કોરેન્ટાઈન પરિવારોને ફ્રીમાં શાક, પાણી અને દૂધની વ્યવસ્થા કરવામાં આવી છે. એ સિવાય પણ કેટલાક મહત્વના નિર્ણયો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યા છે.
અમદાવાદ મનપાએ લીધો મહત્વનો નિર્ણય
જાહેર જનતાને કરી અપીલ
લીધા કેટલાક મહત્વના નિર્ણય
રાજ્યમાં કોરોનાના પાંચ પોઝિટિવ કેસને લઈ તંત્ર વધુ સજ્જ થઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કડક નિર્ણય લીધા છે. વિજય નેહરાએ કહ્યું કે પરિવાર સ્વૈચ્છિક રીતે 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈન રહેવા માગતો હશે તેને તમામ દૂધ, પાણી, શાકભાજી, અનાજ-કરિયાણું મ્યુનિ. મફતમાં ઘરે પહોંચાડશે. અમદાવાદમાં તમામ ખાનગી, જાહેર, મ્યુનિ. સહિતની માલિકીના તમામ જીમ, ખાનગી ક્લબ, સ્વિમિંગ પૂલ પર 31 સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ટેક્સ ભરવા માગતા હોય તો ઘરેથી ભરી શકાશે. 155 અને 303 પર ફોન કરી ઘરેથી ટેક્સ ભરી શકાશે.
શું કહ્યુ મ્યુ. કમિશનર નેહરાએ ?
મ્યુનિસિપલ સિવિક સેન્ટર્સને 31 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જાહેરમાં થૂંકવા બદલ 4 દિવસમાં 4500થી વધુ લોકોને 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે આજથી અમદાવાદના તમામ પાનના ગલ્લા-લારી-દુકાનો તાત્કાલિક અસરથી બંધ કરાશે. 31 માર્ચ સુધી તમામ પ્રકારના પાન-મસાલા ગુટખાના વેચાણ પર પ્રતિબંધ- કરિયાણાની દુકાનો પરથી પણ પાન-મસાલા-ગુટખા વેચી શકાશે નહીં. જ્યારે થૂંકવા પરનો દંડ સોમવારથી 500થી વધારીને 1000 કરાશે, દંડ ભરવામાં તકરાર કરનાર સામે પોલીસ કાર્યવાહી કરી અટક કરાશે.
શું લીધો નિર્ણય
મ્યુનિસિપલ સિવિક સેન્ટર્સને 31 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય
31 માર્ચ સુધી તમામ પ્રકારના પાન-મસાલા ગુટખાના વેચાણ પર પ્રતિબંધ- કરિયાણાની દુકાનો પરથી પણ પાન-મસાલા-ગુટખા વેચી શકાશે નહીં.