સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં તળાવમાં ડૂબવાથી પાંચ બાળકોના મોત, પરિવારમાં શોકનો માહોલ
સુરેન્દ્રનગરમાં ડૂબી જવાથી 5 બાળકોના મૃત્યુ
ધ્રાંગધ્રા પાસે તળાવમાં ડૂબવાથી બાળકોના મૃત્યુ
તળાવમાં ડૂબી જવાથી 5 બાળકોના મૃત્યુ
સુરેન્દ્રનગરમાં 5 બાળકોના ડૂબી જવાથી મોત થયા હોવાનું સામે આવ્યું છે. ધ્રાંગધ્રા પાસે તળાવમાં ડૂબવાથી બાળકોના મોત થયા છે. મેથાન -સરવાળ વચ્ચે તળાવમાં આ પાંચ બાળકો ન્હાવા પડ્યા હતા. અને પાણીના વ્હેણમાં આ પાંચેય બાળકો કાળનો કોળિયો બની ગયા.
ધ્રાંગધ્રામાં તળાવમાં ડૂબવાથી 5 બાળકોના મોત
છેલ્લા ઘણા સમયથી ડૂબવાથી મોત થયા હોવાનું વારંવાર સામે આવે છે. ત્યારે ધ્રાંગધ્રામાં પાંચ બાળકો ન્હાવા પડ્યા હતા. મોજ મસ્તી કરતા બાળકોને કદાચ સ્વપ્નેય ખ્યાલ નહી હોય કે હવે તેઓ પાંચેય જણા સાથે ક્યારેય નહી મળી શકે. મોજ મસ્તીમાં તેઓ તળાવમાં ન્હાવા તો પડ્યા પરંતુ વરસાદને કારણે તળાવમાં વધારે પાણી હોવાથી પાંચેય બાળકો તણાઇ ગયા. ઘટનાને પગલે પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
મહત્વનું છે કે અત્યારે વરસાદી માહોલ હોવાથી તળાવ તથા નદીઓમાં પાણીની આવક થવા પામી છે. આવા સમયે અજાણ્યા સ્થળે ગયા હોવ તો ત્યાં પાણીમાં ન્હાવા પડવાની ભૂલ ક્યારેય ન કરવી. આ ચકચારી ઘટનાને પગલે ઘટના સ્થળે ગામવાસીઓના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. હાલમાં પાંચેય બાળકોના મૃતદેહને બહાર કાઢીને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.