લોકસભા ચૂંટણી 2019નું અંતિમ ચરણનું મતદાન ચાલુ છે. અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધાર્મિક યાત્રા કરી રહ્યા છે. બાબા કેદારનાથના દર્શન કર્યા બાદ હવે મોદી નારાયણના સૌથી ચમત્કારી ધામ બદ્રીનાથના દર્શન માટે પહોંચ્યા છે.
બદ્રીનાથ ચાર ધામોમાંથી એક પ્રમુખ ધામ માનવામાં આવે છે. તે હિમાલયના પર્વત શ્રેણીમાં અલકનંદા નદીના કિનારે સ્થિત છે. યાત્રાળુઓ માટે અહીં ફરવા માટે ઘણી જગ્યાઓ છે.
બદ્રીનાથ મંદિર
લગભગ 3133 મીટર ઉંચી ચોટી પર સ્થિત બદ્રીનાથ મંદિરનો ઇતિહાસ ઘણો પૌરાણિક છે. તે મુખ્યરૂપે ભગવાન વિષ્ણુનું મંદિર છે. અહી નર અને નારાયણની ઉપાસના કરવામાં આવે છે. આ મંદિર ત્રણ ભાગોમાં વિભાજીત છે. ગર્ભગૃહ, દર્શનમંડપ, અને સભામંડપ, હાલ ભગવાન બદ્રીનાથના કપાટ ભક્તો માટે ખુલી ગયા છે. હવે ભક્ત ભગવાન બદ્રીનાથના દર્શન કરી શકે છે.
ચરણપાદુકા
ભગવાન વિષ્ણુનું આ પવિત્રધામ શહેરના કેન્દ્રથી એક કિલોમીટરની દૂરી પર સ્થિત છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના ચરણ કમળ પડ્યા હતા. તેથી તેને ચરણપાદુકા કહેવામાં આવે છે. ચરણપાદુકા 3380 ફૂટ ઉંચાઇ પર સ્થિત છે. જ્યાં પહોંચવા માટે પથરાળ રસ્તાઓ પરથી પસાર થવાનું રહે છે.
તપ્ત કૂંડ
બદ્રીનાથ મંદિરથી થોડી જ દૂરી પર તપ્ત કૂંડ બનેલો છે. અલકનંદા નદીના કિનારે બનેલા આ કૂંડમાં પ્રાકૃતિક પાણી લગભગ 45 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ રહે છે. જ્યાં શ્રદ્ધાળું આસ્થાની ડુબકી લગાવે છે. એવું માનવામાં આવે છે કે કૂંડના પાણીમાં ઔષધીય ગુણ હોય છે.
વ્યાસ ગુફા
અહીં હાજર સૌથી ખાસ ધાર્મિક સ્થળોમાં વ્યાસ ગુફા પણ છે. માનવામાં આવે છે કે મહર્ષિ વ્યાસે ભગવાન ગણેશની મદદથી આ ગુફામાં મહાભારત લખ્યું હતું. આ ગુફામાં વ્યાસે સૂત્રાસ અને વેદ જેવા ઘણા પુરાણોનું નિર્માણ કર્યું હતું.
ભીમ પુલ
બદ્રીનાથથી થોડા અંતરે હાજર ભીમ પુલની ઐતિહાસિક પુષ્ઠભૂમિ પાંડવોના યુગથી જોડાયેલી છે. સરસ્વતી નદી ઉપર બનેલા આ પ્રાકૃત્તિક પુલનું નિર્માતા ભીમ માનવામાં આવે છે. આલ પુલ બે પહાડો વચ્ચેથી નીકળતી નદીના ઉપર બન્યો છે.