દેશની અલગ અલગ બેન્કો અને વીમા કંપનીઓની પાસે લગભગ 49 હજાર કરોડ રૂપિયા લાવારિસ પડ્યા છે.
અલગ અલગ બેન્કો અને વીમા કંપનીઓના 49 હજાર કરોડનું કોઈ દાવેદાર નહીં
બેન્કોમાં આટલા હજાર કરોડ રૂપિયા લાવારિસ પડ્યા છે
જાણો હવે સરકાર આ રકમનું શું કરશે
દેશની અલગ-અલગ બેન્કો અને વીમા કંપનીઓની પાસે લગભગ 49 હજાર કરોડ રૂપિયા લાવારિસ પડ્યા છે. જેનો મતલબ એ છે કે આ રૂપિયાનું કોઈ દાવેદાર નથી. આ વાત મંગળવારે નાણાકીય રાજ્યમંત્રી ભાગવત કરાડે રાજસ્થાન સભામાં એક લેખિત જવાબમાં કહી છે. જણાવી દઈએ કે આંકડા 31 ડિસેમ્બર 2020 સુધીના છે. બેન્કોમાં પડેલા અનક્લેમ્ડ ડિપોઝીટનો આંકડો દર વર્ષે સતત વધતો જઈ રહ્યો છે. RBIએ વર્ષ 2018માં દરેક બેન્કોને આદેશ આપ્યો હતો કે જે ખાતા પર પાછલા 10 વર્ષથી કોઈ દાવેદાર સામે નથી આવ્યું. તેમની લિસ્ટ તૈયાર કરીને દરેક બેન્ક પોત પોતાની વેબસાઈટ પર અપલોડ કરે. અપલોડ કરવામાં આવેલી જાણકારીમાં એકાઉન્ટ હોલ્ડર્સના નામ, એડ્રેસ શામેલ હતા.
બેન્કોમાં આટલા હજાર કરોડ રૂપિયા લાવારિસ પડ્યા છે
RBIની તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર 31 ડિસેમ્બર 2022 સુધી અલગ અલગ બેન્કોના 8.1 કરોડ એકાઉન્ટ્સમાં 24356 કરોડ રૂપિયા પડ્યા છે. જેના પર દાવો કરનાર કોઈ વ્યક્તિ છે જ નહીં. એટલે કે લગભગ દરેક ખાતામાં 3000 કરોડ રૂપિયા પડ્યા છે. રિઝર્વ બેન્ક અનુસાર સરકારી બેન્કોને 5.5 કરોડ એકાઉન્ટ્સમાં 16597 કરોડ રૂપિયા પડ્યા છે. દેશમાં સૌથી મોટી બેન્ક એસબીઆઈના 1.3 કરોડ ખાતામાં 3578 કરોડ રૂપિયા લાવારિસ પડ્યા છે.
નાણામંત્રીએ રાજ્યસભામાં શું કહ્યુ?
રાજ્ય નાણામંત્રીએ રાજ્યસભામાં લેખિત જવાબમાં કહ્યું કે ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ અનુસાર, સરકારી અને પ્રાઈવેટ વીમા કંપનીઓની પાસે 24586 કરોડ રૂપિયા દાવા વગર પડ્યા છે. જણાવી દઈએ કે આ એ લોકોના પૈસા છે જેમણે ઈન્શ્યોરન્સ કરાવ્યો પરંતુ બી ત્રણ પ્રીમિયમ ભર્યા બાદ બીજુ પ્રીમિયમ ભરવાનું છોડી દીધુ હોય અથવા તો ઘણા એવા છે જેમના ઈશ્યોરન્સના કાગળ ખોવાઈ જવાના કારણે તેમને ક્લેમ ન કર્યું હોય.
વર્ષ 2018માં શું બની હતી પોલિસી?
વર્ષ 2018માં દેશના સૌથી મોટા બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના 47 લાખ ખાતાઓ, કેનરા બેન્કના 47 લાખ ખાતાઓ અને પંજાબ નેશનલ બેન્કના 23 લાખ ખાતાઓનું કોઈ દાવેદાર નથી. આ રીતે વર્ષ 2016માં આ આંકડો 8928 કરોડ રૂપિયા હતો. વર્ષ 2017માં અનક્લેમ્ડ ડિપોઝિટનો આંકડો વધીને 11494 કરોડ રૂપિયા થઈ ગયો હતો. 2018માં આ આંકડો 26.8 ટાકા વધીને 14578 કરોડ રૂપિયા થઈ ગયો. વર્ષ 2019 અને 2020માં પણ આ આંકડો સતત વધતો રહ્યો છે.
અનક્લેમ્ડ અમાઉન્ટનું શું થશે?
જ્યાં સુધી બેન્કોમાં પડેલા અનક્લેમ્ડ ડિપોઝિટની વાત છે તો બેન્કિંગ રેગુલેશન એક્ટ 1949માં થયેલા સંશોધન અને આ એક્ટના સેક્શન 26એમાં ફેરફાર અનુરૂપ આરબીઆઈએ ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ સ્કીમ 2014માં જણાવ્યું છે. આ સ્કીમ હેઠળ બેન્ક 10 વર્ષ અથવા તેનાથી વધારે સમયથી ઓપરેટ નહીં કરવામાં આવેલા કોઈ પણ એકાઉન્ટમાં હાજર ક્યૂમુલેટિવ બેલેન્સને તેના વ્યાજની સાથે કેલ્યુલેટ કરી શકે છે અને તે એમાઉન્ટને DEAFમાં ટ્રાન્સફર કરી દે છે. જો DEAFમાં ટ્રાન્સફર થઈ ચુકેલા અનક્લેમ્ડ ડિપોઝિટનો કસ્ટમર આવે છે તો બેન્ક વ્યાજની સાથે કસ્ટમરને ચુકવણી કરે છે અને DEAFથી રિફન્ડ માટે દાવો કરે છે. DEAFનો ઉપયોગ ડિપોઝીટના ઈન્ટ્રેસ્ટના પ્રમોશન અને તેની સાથે જોડાયેલા અન્ય જરૂરી ઉદ્દેશ્યો માટે થાય છે જે આરબીઆઈ ભલામણ કરી શકે છે.
ઈશ્યોરન્સ કંપનીના લાવારિસ પડેલા પૈસાનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે?
ઈશ્યોરન્સ કંપનીઓમાં પડેલા અનક્લેમ્ડ એમાઉન્ટની વાત કરવામાં આવે તો કંપનીઓને 10 વર્ષથી વધુ સમય પહેલા અનક્લેમ્ડ એમાઉન્ટને સીનિયર સિટીઝન વેલફેર ફેંડ (SCWF)માં દર વર્ષે માર્ટ અથવા તે પહેલા ટ્રાન્સફર કરવાના રહે છે. SCWFનો ઉપયોગ સીનિયર સિટીઝનના કલ્યાણને પ્રમોટ કરનાર સ્કીમ્સમાં થાય છે. જો બાદમાં કોઈ અનક્લેમ્ડ એમાઉન્ટ માટે ક્લેમ કરવામાં આવે તો ઈન્શ્યોરન્સ કંપનીઓને પ્રક્રિયા અનુસાર ઈન્વેસ્ટમેન્ટ ઈનકમની સાથે અનક્લેમ્ડ એમાઉન્ટની ચુકવણી કરવાની રહે છે.