દેશમાં કોરોનાના કેસની સંખ્યા 12 લાખે પહોંચી ગઈ છે. ત્યારે દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. ત્યારે કોરોનાની સ્થિતિને સમજવા માટે સરકાર દ્વારા કોરોનાનો સીરો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદમાં મુંબઈ કરતા પણ વધારે સંક્રમણ હોવાનું જાણવા મળ્યું છે.
11 કોરોનાગ્રસ્ત શહેરના કન્ટેઇન્મેટ ઝોનમાં થયો સર્વે
અમદાવાદમાં 49 % લોકો સંક્રમિત હોવાનો ઘટસ્ફોટ
અમદાવાદના 10 કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કરાયો હતો સર્વે
દેશના 11 કોરોનાગ્રસ્ત શહેરના સીરો સર્વેમાં કરવામાં આવ્યો હતો. જેમાં ઘટસ્ફોટ થયો છે. 11 કોરોનાગ્રસ્ત શહેરના કન્ટેઇન્મેટ ઝોનમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદમાં 49 % લોકો સંક્રમિત હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેને પગલે તંત્ર હચમચી ગયું છે.
અમદાવાદના 10 કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સર્વે કરાયો હતો. જેમાં જોવા મળ્યું છે કે અમદાવાદમાં 496 ટેસ્ટમાંથી 48.99% લોકોમાં એન્ટિબોડી જોવા મળ્યા હતા. સુરતમાં માત્ર 8 % લોકોમાં જ એન્ટિબોડી મળ્યા હતા. સર્વેના તારણો મુજબ શહેરમાં હર્ડ ઇમ્યુનિટી વિકસિત થઇ છે.
સર્વેમાં મુંબઇ,આગ્રા,પુણે કરતા અમદાવાદમાં સંક્રમણ વધુ જોવા મળ્યું છે. મે મહિનામાં સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે રેન્ડમ સેમ્પલિંગના આધારે કરાયો હતો. જોકે આ સર્વે કોરોના સંક્રમણનો અંદાજ લગાવવા કરાયો હતો. જેમાં અમદાવાદની સ્થિતિને લઈને ઘટસ્ફોટ થયો હતો.