દેશમાં કોરોનાથી થયેલ મોતના આંકડાને લઈને પણ આપ્યું નિવેદન
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે લોકસભામાં આ જાણકારી આપી હતી, આ સાથે જ તેમણે સદનમાં કહ્યું કે, તેને ઈન્સ્ટોલ કરવાની જવાબદારી કંપનીને આપવામાં આવી હતી તથા હોસ્પિટલોને ટ્રેનિંગ આપવા માટે પણ કહેવામાં આવ્યું હતું, દેશભરના તમામ રાજ્યોમાં અત્યાર સુધીમાં 42000 પ્રમાણપત્રો આપવામાં આવી ચૂક્યા છે કે વેન્ટિલેટર ઈન્સ્ટોલ થઈ ચૂક્યા છે અને બરાબર કાર્યરત છે.
58000 વેન્ટિલેટર્સનો ઓર્ડર
મનસુખ માંડવિયાએ લોકસભામાં કહ્યું કે, દેશમાં આઝાદી બાદ 2 વર્ષ સુધી 16 હજાર વેન્ટિલેટર્સ હતા, પહેલા આટલી ડિમાન્ડ નહોંતી અને જરૂરીયાત પણ નહોંતી પરંતુ સમયની સાથે કોરોનાની પહેલી લહેર તથા બીજી લહેરમાં માગ વધી અને એક્સપર્ટ કમિટીએ વિશ્લેષણ કરીને જણાવ્યું કે, 75000 વેન્ટિલેટરની જરૂરીયાત રહેશે. તેમના સૂચન પર ભારત સરકારે 58000 વેન્ટિલેટર્સનો ઓર્ડર આપ્યો, જેમાથી 97 ટકા ઓર્ડર ભારત સરકારેની કંપનીને આપવામાં આવ્યો.
તમામ વેન્ટિલેટર્સ બરાબર કરી રહ્યા છે કામ
માંડવિયાએ કહ્યું, “ભારત ઈલેક્ટ્રોનિક લિમિટેડ અને આંધ્ર ઈલેક્ટ્રોનિક ઝોન, બંને ભારત સરકારની કંપનીઓ છે. રાજ્યોને 50200 વેન્ટિલેટર આપવામાં આવ્યા હતા, જેમાંથી 48000 વેન્ટિલેટર લગાવવામાં આવ્યા હતા. કંપનીને પોતે જ હોસ્પિટલોને ઈન્સ્ટોલ કરવા અને તાલીમ આપવા માટે કહેવામાં આવ્યું હતું. આજ સુધીમાં 42000 વેન્ટિલેટર તમામ રાજ્યોમાંથી પ્રમાણપત્રો પ્રાપ્ત થયા છે જે દર્શાવે છે કે વેન્ટિલેટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે અને સારી રીતે ચાલી રહ્યા છે.
દેશમાં કોરોનાથી થયેલા મોતના આંકડાની આપી જાણકારી
ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 3.46 કરોડ કેસ નોંધાયા છે, જ્યારે મહામારીના કારણે 4.6 લાખ લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે, આ જાણકારી કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ સંસદમાં આપી હતી. મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં પ્રતિ 10 લાખ જનસંખ્યા પર 25,000 કોવિડ કેસ અને 340 મોત નોંધાયા છે.
કેન્દ્ર સરકારના આરોગ્યમંત્રીએ કર્યા વખાણ
કેન્દ્રીયમંત્રીએ કોરોનાથી લડવા માટે કેન્દ્ર સરકારના વખાણ પણ કર્યા હતા. સાથે જ તેમણે જણાવ્યું કે, મોદી સરકાર હેઠળ, નબળા આરોગ્ય ઢાંચાને મજબૂત કરવા માટેનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. સ્વાસ્થ્યના પાયાના ઢાંચાને નજરઅંદાજ કરનારી ગત સરકારોને દોષ આપ્યા વગર સરકારે પરિણામ માટે કામ કર્યું. ગત 2 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નિર્ણયો જોવા મળ્યા છે કે, આ સરકાર ઈચ્છાશક્તિની સાથે કામ કરે છે, શક્તિથી નહીં.
દેશમાં કોરોનાની સ્થિતિ
દેશમાં ભલે કોરોના સંક્રમણના મામલા હાલમાં વધારે નથી. પરંતુ નવા કેસોની સંખ્યા રિકવર થનારા લોકોથી વધારે હોવાના કારણે ચિંતા વધી છે. શુક્રવારે સતત બીજા દિવસે રિકવર થનારા લોકોથી વધારે નવા કેસ આવ્યા છે. ગત એક દિવસમાં 9, 216 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે રિકવર થનારા આંકડામાં 8612 રહી ગયા છે. આ સાથે એક વાર ફરી એક્ટિવ કેસની સંખ્યા 1 લાખને પાર પહોંચી ગઈ છે. હાલમાં દેશમાં કોરોનાના સંક્રિય મામલામાં સંખ્યા 99, 976 છે. જે આવનારા દિવસોમાં એક લાખને પાર પહોંચી શકે છે.
એક્ટિવ કેસની ટકાવારી માત્ર 0.29 ટકા રહી
જો કે હજું પણ રાહતની વાત એ છે કે કુલ મામલાની સરખામણીએ એક્ટિવ કેસની ટકાવારી માત્ર 0.29 ટકા રહી છે. આ આંકડા માર્ચ 2020 બાદથી અત્યાર સુધી સૌથી ઓછી છે. આ ઉપરાંત ડેલી પોઝિટિવિટી રેટ 0.80 ટકા અને વીકલી પોઝિટિવિટી રેટ 0.84 પર્સેટ બનેલો છે. દેશમાં ગત કેટલાક મહિનાઓમાં તેજીથી રસીકરણ થયું છે. અને અત્યાર સુધીમાં કુલ 125.75 કરોડથી વધારે રસી લગાવી ચૂક્યા છે. મનાઈ રહ્યું છે કે આ ઉપરાંત કોરોનાની સ્પીડ રોકાઈ છે. પરંતુ હવે ઓમિક્રોન વેરિએન્ટનું સંકટ વધ્યું છે. હાલમાં સ્ટડી કરવામાં આવી રહી છે કે વેરિએન્ટ રસીને માત આપી શકે છે કે નહીં.