આણંદમાં ભારે વરસાદથી સિસવા ગામ ખાતે જળ બંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. જે બાદમાં NDRFની એક ટીમ બચાવ કામગીરી માટે પહોંચી છે.
બોરસદના સીસ્વા ગામમાં લોકો રોડ પર રહેવા મજબૂર
ઇન્દિરા નગરીના 100 પરિવારની ઘરવખરીને નુકસાન
ઘરવખરી છોડી રોડ પર રહેવા લોકો મજબૂર
બોરસદના સીસ્વા ગામમાં લોકો રોડ પર રહેવા મજબૂર
આણંદમાં ભારે વરસાદથી સિસવા ગામ ખાતે જળ બંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. જે બાદમાં NDRFની એક ટીમ બચાવ કામગીરી માટે પહોંચી છે. અહીં NDRFના 27 જવાન પહોંચ્યા છે. અહીં કિશન બારિયા નામનો એક યુવાન પાણીમાં ગરક થઈ ગયાની જાણ થઈ છે. NDRFની ટીમ ગામના લોકોને સુરક્ષિત બહાર કાઢી રહી છે, તેમજ ગુમ થયેલા યુવાનની શોધખોળ શરૂ કરી છે. બીજી તરફ સીસ્વા ગામના 100 પરિવારોની ઘરવખરીને ભારે વરસાદથી નુક્સાન થયું છે. લોકોને ઘરવખરી છોડી રોડ પર રહેવા મજબૂર થવું પડ્યું છે.
બોરસદ તાલુકાના 3 અસરગ્રસ્ત ગામોના 200થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા
SDM જે.એચ.બારોટે VTV સાથે કરી વાત જણાવ્યું હતું કે,બોરસદ તાલુકામાં બે દિવસ પૂર્વે એટલે કે, ગુરુવાર મધ્યરાત્રીએ પડેલા ભારે વરસાદને કારણે બોરસદ તાલુકાના સીસ્વા, ભાદરણ અને ભાદરણીયા ગામમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ભરાઈ ગયાં છે. બીજી તરફ આ વાતની જાણ વહીવટી તંત્રને NDRFની ટીમનો મદદ તાત્કાલિક અસરગ્રસ્તોની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી ત્રણેય ગામોના 200થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા છે.
આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં મેઘરાજાએ ધબધબાટી કરતાં ઠેર-ઠેર પાણી ભરાયા
ઉલ્લેખનીય છે કે, આણંદમાં જિલ્લામાં ગુરુવાર બપોર બાદથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાત્રે 10 વાગ્યા બાદ તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બોરસદની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને બહાર નિકળવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. કેટલાક સ્થળોએ બચાવ કામગીરી માટે NDRFની ટીમોની મદદ લેવી પડી હતી. અને પાણીમાં ફસાયેલા 300 લોકોને દોરડાના સહારે બહાર કાઢયા હતા.આમ બોરસદ તાલુકામાં પ્રથમ વરસાદમાં ખેતરો પાણી પાણી થઈ ગયા હતા.બોરસદના વનતળાવ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અહીં રહેતા 100 પરિવારની માલ મિલકત પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. વનતળાવ વિસ્તારમાં પાણીના વહેણમાં તણાઈ જતાં એક યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમ યુવકને શોધવા માટે કામે લાગી છે