તૌકતે વાવાઝોડાએ ગુજરાત રાજ્યમાં મહાવિનાશ વેર્યો છે જેના કારણે 45 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
તૌકતે વાવાઝોડાથી ગુજરાતમાં જાનમાલની નુકસાની
ગુજરાતમાં 45 લોકોના મૃત્યુ
રાજ્યમાં અનેક પશુઓના પણ મૃત્યુ
45 લોકોના કરૂણ મોત
તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં ભારે કહેર વર્તાવ્યો છે, રાજ્યમાં વાવાઝોડાના કારણે ભયંકર નુકસાન થયું છે અને 45 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી રહી છે જેમાં સામે આવ્યું છે કે વાવાઝોડાના કારણે મુત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 45 થઈ છે. આ સાથે જ ઘણા બધા પશુઑના પણ મોત થયા છે.
અમદાવાદ (5 મોત)- વીજ કરંટ 2, દીવાલ પડવાથી 2 અને છત પડવાથી 1 વ્યક્તિનું નિધન
ખેડા (2 મોત)- વીજ કરંટથી બન્ને મૃત્યુ
આણંદ (1મોત) : વીજ કરંટથી મોત
વડોદરા (1 મોત)મૃત્યુ : ટાવર પડી જવાથી નિધન
સુરત (1 મોત) : ઝાડ પડી જવાથી
વલસાડ (1 મોત) : દીવાલ પડવાથી
રાજકોટ (1 મોત) : દીવાલ પડવાથી
નવસારી (1 મોત) : છત પડવાથી
પંચમહાલ (1 મોત) : ઝાડ પડી જવાથી
ગુજરાતમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ
વાવાઝોડાના કારણે ગુજરાતમાં પશુઓના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ગુજરાતભરમાં 60 હજારથી વધારે વૃક્ષો તથા 70 હજારથી વધારે વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા. 16 હજારથી વધારે કાચા-પાકા મકાનો પણ પડી ગયા. 200થી વધારે રોડને નુકસાન થયું જ્યારે 200થી વધારે ટ્રાન્સફોર્મર પણ ખોટકાઈ ગયા હતા.
ચક્રવાતમાં ધમરોળાયું ગુજરાત
તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં અનેક જગ્યાએ વિનાશ વેર્યો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગામોમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. વાવાઝોડાની ઝડપ તો ઘટી ગઈ હતી પરંતુ અમદાવાદમાં પણ વાવાઝોડું આફત બનીને આવ્યું. સમગ્ર રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ થયો હતો. ક્યાંક ધોધમાર તો ક્યાંક અવિરત વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.